બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:54 PM, 17 July 2024
દેશમાં મોંધવારી કંટ્રોલ કરવા માટે ભારતીય રિઝર્વ બેંક દ્વારા રેપો રેટ વધારવાનું શરૂ કરવામાં આવ્યુ હતું. જે હાલ 6.50 ટકા સુધી વધી ગયો છે. આ વધારાને આશરે 17 મહિના જેટલો સમયગાળો થઇ ગયો હોવા છતા રિઝર્વ બેંક દ્વારા આમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. પરંતુ આ વિષયે જોવા મળ્યુ કે બેંકોએ ફક્ત ડિપોઝીટ ઉપરાંત લોનના વ્યાજદરમાં પણ વધારો કર્યો છે. આ વિષયના ઉંડાણમાં જતા તમને RBI ચિંતા નજરે ચઢશે જેની તેઓ છેલ્લા ઘણા મહિનાથી વાત કરી રહ્યા છે. RBIની ચિંતાનું કારણ એ છે કે છેલ્લા ઘણા સમયથી દેશમાં નાની અને અસુરક્ષિત લોન લેવાના પ્રમાણમાં વધારો નોંધાયો છે. જે બાબતે RBI દ્વારા પગલાં પણ ભરવામાં આવ્યા છે. દેશભરની બેંકો એ પણ આ વિષયે રસ્તો કાઢી લીધો છે.
ADVERTISEMENT
બેંક મોટા ભાગે વિવિધ સોર્સ દ્વારા ફંડ જમા કરતી હોય છે. જેમાં તેઓને ફિક્સ વ્યાજ આપવામાં આવતુ હોય છે. જે બાદ આ પૈસાને લોન પર આપીને તેના વ્યાજ દ્વારા વધારે પૈસા ભેગા કરવામાં આવે છે. પરંતુ બેંક પોતાની ડિપોઝીટની નિશ્ચિત લિમિટ સુધી જ પૈસા લોન પર આપી શકે છે. બેંકને અમુક રૂપિયા પોતાની પાસે ઇમરજંન્સી ફંડ તરીકે રાખવા પડે છે. જેને ક્રેડીડ-ડિપોઝીટ રેશિયો કહેવામાં આવે છે.
ADVERTISEMENT
હાલના સમયે જોવા જઇએ તો બજારમાં લોનના વધતા જતા પ્રમાણને લઇ બેંકો તેમની ડિપોઝીટથી વધારે લોન આપી રહી છે. જેના માટે તેઓ પોતાના સરકારી બોંડને પણ સેલ આઉટ કરી રહ્યા છે. આપણે બેંકોના ક્રેડિટ-ડિપોઝીટ પર નજર ફેરવીએ તો જોવા મળશે કે એચડીએફસી બેંક તેના ડિપોઝીટ કરતા 104 ટકા ગણી લોન આપી રહી છે. એક્સિસ બેંક પણ આ બાબતે 90 ટકા સુધી પહોંચી ગઇ છે. પરંતુ સામાન્ય રીતે આ પ્રમાણ 80 ટકા જેટલુ જ હોય છે.
હાલમાં RBI ગવર્નર શક્તિકાંત દાસએ દેશની તમામ કમર્શિયલ બેંકોના ચીફ ફાઇનાન્સ ઓફિસરની સાથે બેઠક કરી હતી. જેમાં આ ગંભીર મુદ્દા પર નિર્દેશ આપ્યા હતા કે બેંક તેના ફાઇનાન્સ ઓડિટમાં નિયમોનું ફરજિયાત પાલન કરે. ત્યારે આ નિર્દેશના આધારે તમામ બેંકોએ તેમની ડિપોઝીટ વધારવાનો પ્રયત્ન શરૂ કર્યો છે.
અત્યારના સમયે દેશની બેંકોએ નવી એફડી અને સેવિંગ સ્કીમ લોંચ કરી છે. જેમાં સામાન્ય વધારે વ્યાજ આપવામાં આવે છે. જેના કારણે લોકોને ડિપોઝીટના કારણે ફાયદો મળી રહ્યો છે. ભારતીય સ્ટેટ બેંક એ અમૃત વૃષ્ટી એફડી શરૂ કરી છે. જેમાં 444 દિવસના રોકાણ પર 7.25 ટકા સુધીના વ્યાજ આપવામાં આવી રહ્યા છે. આ પ્રકારે બેંક ઓફ બરોડા મોનસુન ધમાકામાં 666 દિવસ પર 7.15 ટકા અને 399 દિવસ પર 7.25 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.