બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / RBIએ વ્યાજદરમાં વધારો ન કર્યો હોવા છતા રોકાણકારો છે પરેશાન, જાણો આની પાછળનું કારણ ?

બિઝનેસ / RBIએ વ્યાજદરમાં વધારો ન કર્યો હોવા છતા રોકાણકારો છે પરેશાન, જાણો આની પાછળનું કારણ ?

Last Updated: 12:54 PM, 17 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય રિઝર્વ બેંકે છેલ્લા ઘણાં સમયથી રેપો રેટમાં કોઇ ફેરફાર કર્યો નથી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તમે જોયુ હશે કે બેંકોમાં એફડીના રેટ વધી રહ્યા છે અને ત્યાં લોન લેવી ઘણી મુશ્કેલ થઇ રહી છે. આવો આની પાછળનું કારણ આપણે જાણીએ.

દેશમાં મોંધવારી કંટ્રોલ કરવા માટે ભારતીય રિઝર્વ બેંક દ્વારા રેપો રેટ વધારવાનું શરૂ કરવામાં આવ્યુ હતું. જે હાલ 6.50 ટકા સુધી વધી ગયો છે. આ વધારાને આશરે 17 મહિના જેટલો સમયગાળો થઇ ગયો હોવા છતા રિઝર્વ બેંક દ્વારા આમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. પરંતુ આ વિષયે જોવા મળ્યુ કે બેંકોએ ફક્ત ડિપોઝીટ ઉપરાંત લોનના વ્યાજદરમાં પણ વધારો કર્યો છે. આ વિષયના ઉંડાણમાં જતા તમને RBI ચિંતા નજરે ચઢશે જેની તેઓ છેલ્લા ઘણા મહિનાથી વાત કરી રહ્યા છે. RBIની ચિંતાનું કારણ એ છે કે છેલ્લા ઘણા સમયથી દેશમાં નાની અને અસુરક્ષિત લોન લેવાના પ્રમાણમાં વધારો નોંધાયો છે. જે બાબતે RBI દ્વારા પગલાં પણ ભરવામાં આવ્યા છે. દેશભરની બેંકો એ પણ આ વિષયે રસ્તો કાઢી લીધો છે.

બેંકો પાસે ડિપોઝીટ કરતા લોનની ડિમાંડ વધારે

બેંક મોટા ભાગે વિવિધ સોર્સ દ્વારા ફંડ જમા કરતી હોય છે. જેમાં તેઓને ફિક્સ વ્યાજ આપવામાં આવતુ હોય છે. જે બાદ આ પૈસાને લોન પર આપીને તેના વ્યાજ દ્વારા વધારે પૈસા ભેગા કરવામાં આવે છે. પરંતુ બેંક પોતાની ડિપોઝીટની નિશ્ચિત લિમિટ સુધી જ પૈસા લોન પર આપી શકે છે. બેંકને અમુક રૂપિયા પોતાની પાસે ઇમરજંન્સી ફંડ તરીકે રાખવા પડે છે. જેને ક્રેડીડ-ડિપોઝીટ રેશિયો કહેવામાં આવે છે.

વધારે લોન આપવા બેંકો તેમના સરકારી બોંડ વેચી રહી છે

હાલના સમયે જોવા જઇએ તો બજારમાં લોનના વધતા જતા પ્રમાણને લઇ બેંકો તેમની ડિપોઝીટથી વધારે લોન આપી રહી છે. જેના માટે તેઓ પોતાના સરકારી બોંડને પણ સેલ આઉટ કરી રહ્યા છે. આપણે બેંકોના ક્રેડિટ-ડિપોઝીટ પર નજર ફેરવીએ તો જોવા મળશે કે એચડીએફસી બેંક તેના ડિપોઝીટ કરતા 104 ટકા ગણી લોન આપી રહી છે. એક્સિસ બેંક પણ આ બાબતે 90 ટકા સુધી પહોંચી ગઇ છે. પરંતુ સામાન્ય રીતે આ પ્રમાણ 80 ટકા જેટલુ જ હોય છે.

બેંકોને ફાઇનાન્સ ઓડિટમાં નિયમોનું ફરજિયાત પાલન કરવા RBI ગવર્નરના નિર્દેશ

હાલમાં RBI ગવર્નર શક્તિકાંત દાસએ દેશની તમામ કમર્શિયલ બેંકોના ચીફ ફાઇનાન્સ ઓફિસરની સાથે બેઠક કરી હતી. જેમાં આ ગંભીર મુદ્દા પર નિર્દેશ આપ્યા હતા કે બેંક તેના ફાઇનાન્સ ઓડિટમાં નિયમોનું ફરજિયાત પાલન કરે. ત્યારે આ નિર્દેશના આધારે તમામ બેંકોએ તેમની ડિપોઝીટ વધારવાનો પ્રયત્ન શરૂ કર્યો છે.

વધુ વાંચો : IMFએ આ વર્ષ માટે ભારતના આર્થિક અંદાજમાં સુધારો કર્યો, આર્થિક વિકાસ દર 7 ટકા રહેવાની ધારણા

પૈસા લાંબાગાળા સુધી જમાં કરવો અને ફાયદો મેળવો

અત્યારના સમયે દેશની બેંકોએ નવી એફડી અને સેવિંગ સ્કીમ લોંચ કરી છે. જેમાં સામાન્ય વધારે વ્યાજ આપવામાં આવે છે. જેના કારણે લોકોને ડિપોઝીટના કારણે ફાયદો મળી રહ્યો છે. ભારતીય સ્ટેટ બેંક એ અમૃત વૃષ્ટી એફડી શરૂ કરી છે. જેમાં 444 દિવસના રોકાણ પર 7.25 ટકા સુધીના વ્યાજ આપવામાં આવી રહ્યા છે. આ પ્રકારે બેંક ઓફ બરોડા મોનસુન ધમાકામાં 666 દિવસ પર 7.15 ટકા અને 399 દિવસ પર 7.25 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યુ છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Repo Rate RBI Interest Rates
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ