Even the smallest mustard seed! The unique achievement of this 'Tabaria' of Aravalli, after watching the VIDEO, you will say that we have not done anything like this.
સંસ્કાર /
નાનો પણ રાઈનો દાણો ! અરવલ્લીના આ 'ટાબરિયા'ની અનોખી સિદ્ધિ, VIDEO જોઈને કહેશો આપણે આવું તો કંઈ કર્યું જ નહિ
Team VTV08:19 PM, 06 Mar 22
| Updated: 08:20 PM, 06 Mar 22
અરવલ્લી જિલ્લાના મોડાસામાં રહેતા ચાર વર્ષીય વ્યાન પ્રજાપતિને હનુમાન ચાલીસા સહિત વિવિધ શ્લોકો અને સુવિચારો કંઠસ્થ. મોબાઈલ- ટીવીની લત ધરાવતા બાળકો માટે પ્રેરણા
અરવલ્લીનો ચાર વર્ષીય બાળક કે વેદ જ્ઞાતા ?
આટલી નાની ઉમરે હનુમાન ચાલીસા કંઠસ્થ
ધાર્મિક ગ્રંથો સહિત સાહિત્યમાં દાખવે છે રુચિ
આજના ટેકનોલોજીના યુગમાં બાળકો મોબાઈલ પ્રત્યે વિશેષ લગાવ રાખતા હોય છે, ચાર વર્ષીય બાળકો શબ્દો નું માંડ સ્પષ્ટ ઉચ્ચારણ કરી શકે છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં રહેતો ચાર વર્ષીય વ્યાન પ્રજાપતિ હનુમાન ચાલીસા સહિત વિવિધ શ્લોકો અને સુવિચારો કડકડાટ બોલે છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા મધુવન સોસાયટીમાં રહેતા અને રમોસના વતની સૌરભભાઈ પ્રજાપતિ અને બિનલબેન પ્રજાપતિનો પુત્ર વ્યાન કલરવ શિશુવિહાર કેન્દ્ર માં જુનિયર કે.જી માં અભ્યાસ કરે છે. વ્યાન ધાર્મિક ગ્રંથો સહિત સાહિત્યમાં રસ ધરાવે છે,,હાલ ટેક્નોલોજીના સમયમાં બાળક સમજણું થાય ત્યારથી જ મોબાઈલમાં વિડિઓ અને ગેમ્સ રમવાનું પસંદ કરતા હોય છે ત્યારે વ્યાન પ્રજાપતિ માત્ર ચાર વર્ષ ની ઉંમરે હનુમાન ચાલીસા, ગાયત્રી મંત્ર, ગણેશ સ્તુતિ સહિત મહાભારત - રામાયણ ના પાત્રો ને સારી રીતે ઓળખી અને સમજી શકે છે.
પુત્રના લક્ષણ પારણામાંથી
વ્યાન જ્યારે 9 મહિનાનો હતો ત્યારથી જ તેના શરીરના અંગોનાં નામ અંગ્રેજીમાં સમજી શકતો અને તેનું નિર્દેશન કરતો, ત્યારથી જ વ્યાન તેના ઘરે વાગતા ભજનો, હનુમાન ચાલીસા સહિત સ્તુતિ સાથે સાથે બોલતો હતો,,વ્યાને પહેલા શબ્દો, શબ્દોથી એક લાઇન અને એમ કરતાં કરતાં આખી હનુમાન ચાલીસા કંઠસ્થ કરી લીધી છે, સાથે જ વ્યાન વિવિધ શ્લોકો અને આધ્યાત્મિક પુસ્તકો વિશે જાણવાની તત્પરતા રાખે છે..આ ઉપરાંત મહાભારત અને રામાયણના શ્લોકો અભિનય સાથે રજુ કરતા વ્યાન પાસે બેસીએ તો નાના બાળક પાસે નહીં પરંતુ કોઈ વિદ્વાન પાસે બેઠા હોય તેવી અનુભૂતિ થાય છે.વ્યાન તેની સમજણની શરૂઆતમાં જ સાહિત્યની ચર્ચામાં જ રસપ્રદ રહેતો.
રામાયણ- મહાભારત ગાથા પણ વર્ણવે છે
આજના બાળકોમાં જેમ જેમ સમજણ આવે તેમ મોબાઈલમાં ગેમ્સ રમવાની અને વિડિઓ જોવાનું વધારે પસંદ કરતાં હોય છે ત્યારે વ્યાન મોબાઈલમાં ગેમ્સ નહીં પરંતુ અલગ-અલગ સાહિત્યના વીડિયો જુએ છે જ્યારે વ્યાન ત્રણ વર્ષની ઉંમરેથી હિન્દુ ધર્મના રામાયણ- મહાભારતની મોટાભાગની ગાથા પોતાના મુખેથી વર્ણવે છે.ત્યારે વ્યાન ભવિષ્યમાં તેની જીવનમાં શિક્ષણના જ્ઞાન સાથે આધ્યાત્મિક જ્ઞાન મેળવી નામના પ્રાપ્ત કરે તેવી વ્યાનમાં માતાપિતા આશા રાખી રહ્યા છે
આજના ટેક્નોલોજીના યુગમાં એવા બાળકોના માતાપિતા કે જેઓ પોતાના બાળકોને મોબાઈલનો ઉપીયોગ માત્ર વિડિઓ અને ગેમ્સ રમવા પૂરતો કરાવતા હોય છે તેમના માટે વ્યાન તેના જેવા બાળકો ને આધ્યાત્મિકતા તરફ વળવા અને હિન્દૂ સંસ્કૃતિનું જ્ઞાન વધારવા ઉદાહરણરૂપ સાબિત થઈ રહ્યો છે.