તાજેતરના કેન્દ્રીય કેબિનેટમાં ભાજપ તમિલનાડુ યુનિટમના અધ્યક્ષ એલ મુરુગનને રાજ્યમંત્રી બનાવાયા છે. પરંતુ મુરુગનના માતાપિતા આજે પણ બીજાના ખેતરમાં મજૂરી કરીને જીવન વીતાવે છે.
કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળ્યું છે તમિલનાડુ ભાજપ અધ્યક્ષ એલ મુરુગનને
ગામડામાં આજે પણ અત્યંત સાદગીથી રહે છે એલ મુરુગનના માતાપિતા
પોતાને નામે વીઘો પણ જમીન નથી, બીજા ખેતરમાં મજૂરી કરે છે માતાપિતા
પુત્રીની ઉપલબ્ધતિ પર ગર્વ પરંતુ પોતાની કમાણીનું ખાવા માંગે છે માતાપિતા
મોદી સરકારમાં રાજ્યમંત્રી બનેલા એલ મુરુગનનું મૂળ ગામ તમિલનાડુના નમાક્કલ જિલ્લાનું કોન્નુર ગામ છે. કોન્નુર ગામમાં તેમના માતાપિતા છૂટક મજૂરી કરીને પેટીયું રળી ખાય છે. મુરુગનના માતાપિતાને નામે એક વીઘો પણ જમીન નથી, તેઓ બીજાના ખેતરમાં છૂટક મજૂરી કરીને જીવનનિર્વાહ કરે છે. પુત્ર મુરુગન મોદી સરકારમા મંત્રી બન્યો હોવા છતાં પણ માતાપિતા તેની મદદ લેવા માંગતા નથી, તેઓ ધારે તો પુત્ર પાસે મદદ માંગી શકે છે પરંતુ તેમણે તો પોતાનું જીવન જીવવું છે અને તેથી જાતમહેનતનું રળી ખાય છે.
બન્ને ખેતરમાં કામ કરતા હોય છે બન્નેને જોઈને જરા પણ અંદાજ ન આવી શકે તેઓ કેન્દ્રીય મંત્રીના માતાપિતા છે.
રુગનની માતાનું નામ એલ વરુદમ્મલ અને પિતાનું નામ લોગનાથન છે તેઓ બન્ને ખેતરમાં કામ કરતા હોય છે બન્નેને જોઈને જરા પણ અંદાજ ન આવી શકે તેઓ કેન્દ્રીય મંત્રીના માતાપિતા છે. વરુદમ્મલ અચકાતા કહે છે કે હું શું કરું, જો મારો પુત્ર કેન્દ્રમાં મંત્રી બને તો હું શું કરું. પોતાનો પુત્ર કેન્દ્રમાં મંત્રી બન્યો તે વાતની તેમની ઘણી ખુશી છે પરંતુ તેઓ પુત્ર પાસે જરા પણ મદદ લેવા માંગતા નથી. અરણથથિયાર સમૂદાયમાંથી વાર બન્ને બાજુની તૂટેલી ઝૂંપડીમાં રહે છે. જેમ પણ કામ મળી જાય તે કરી લે છે. પુત્ર કેન્દ્રી યમંત્રી છે તે તે વાતનું તેમને કોઈ ગૌરવ નથી.
Today morning Took charge as the Minister of State for Fisheries, Animals Husbandry and Diaries in the presence of Union Cabinet Minister Shri.@PRupala ji and Union Cabinet Minister of Rural Development and Minister of Panchayati Raj Shri.Giriraj singh ji.@narendramodipic.twitter.com/OFuasLOH5Q
માર્ચ 2020 માં જ્યારે મુરુગનને તમિલનાડુ ભાજપના પ્રમુખ બનાવાયા હતા ત્યારે તેઓ માતાપિતાને મળવા ગામ ગયા હતા. મુરુગનની સાથે સમર્થકો અને પોલીસ પ્રોટેક્શન પણ હતું ત્યારે પણ માતાપિતાએ ખૂબ જ શાંતિથી પુત્રનું સ્વાગત કર્યું હતું. તેમને પુત્રની સિદ્ધી પર ગૌરવ તો છે પરંતુ અલગ રહેવાની પોતાની જીદ છે. પાંચ વર્ષ પહેલા નાના પુત્રનું અવસાન થયું હતું ત્યારથી તેઓ વહુ તથા બાળકોની જવાબદારી પણ સંભાળી રહ્યાં છે.