સરહદની નજીકના સ્થળોની મુલાકાત લેવા માટે પણ પરમિટ જરૂરી
એવા ઘણા દેશો છે જ્યાં જવા માટે આપણે ભારતીયને વિઝાની જરૂર પડે છે અને આ દેશોમાં વિઝા વિના પ્રવેશ મળતો નથી. એ સમજ્યા પણ શું તમે જાણો છો કે ભારતમાં પણ કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં જવા માટે ભારતીયોએ પણ પરવાનગી લેવી પડે છે. એ પરમીશનને ઇનર લાઇન પરમિટ અથવા ILP તરીકે પણ ઓળખવામાં આવે છે. જણાવી દઈએ કે ઇનર લાઇન પરમિટનો નિયમ કોઈ નવો નથી. ભારતની અંદર આવેલ સરહદની નજીકના સ્થળો અથવા સાંસ્કૃતિક રૂપે સંવેદનશીલ સ્થળોની મુલાકાત લેવા માટે ઇનર લાઇન પરમિટ જરૂરી છે. આ નિયમ એટલા માટે છે કે સરકાર લોકોની ભીડને આ સ્થળોએ આવતા અટકાવવા અને આ સ્થળોએ રહેતા આદિવાસીઓની સંસ્કૃતિને સુરક્ષિત રાખવા માંગે છે.
એવામાં આજે અમે તમને ભારતના થોડા એવા સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં જવા માટે ખુદ ભારતીયોએ પરમિટની જરૂર પડે છે અને પરમિટવ વીના એમને ત્યાં એન્ટ્રી નથી મળી શકતી.
અરુણાચલ પ્રદેશ
અરુણાચલ પ્રદેશની સરહદ મ્યાનમાર, ભૂતાન અને ચીનને સ્પર્શે છે અને એટલા માટે આ વિસ્તારને ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. સ્થાનિક લોકો સિવાય કોઈપણ વ્યક્તિને ત્યાં જવા માટે ઇનર લાઇન પરમિટની જરૂર હોય છે. જએ લોકો ત્યાં જવા માંગે છે તેઓ એ નવી દિલ્હી, કોલકાતા, ગુવાહાટી અને શિલોંગમાં અરુણાચલ પ્રદેશ સરકારના નિવાસી કમિશનર પાસેથી સંરક્ષિત વિસ્તારો માટે પરમિટ લઈ શકે છે. જણાવી દઈએ કે સિંગલ પરમિટ અને ગ્રુપ પરમિટની કિંમત વ્યક્તિ દીઠ 100 રૂપિયા છે અને આ પરમિટ 30 દિવસ માટે માન્ય રહે છે. જો કે ત્યાં જવા માટે ઓનલાઈન પરમિટ પણ લઈ શકાય છે.
નાગાલેન્ડ
જણાવી દઈએ કે નાગાલેન્ડની સરહદ મ્યાનમારને સ્પર્શે છે અને ત્યાં 16 પ્રકારના આદિવાસી સમુદાયો રહે છે. સાથે જ ત્યાં વસતા આદિવાસી સમુદાયના લોકોની પોતાની અલગ ભાષા, રીતરિવાજો અને ભોજન છે, એવામાં જે લોકો આ સ્થળની મુલાકાત લેવા ઇચ્છે છે તેમને ઇનર લાઇન પરમિટ લેવી પડે છે. નાગાલેન્ડ જવા માટે કોહિમા, દીમાપુર, નવી દિલ્હી, મોકોકચુંગ, શિલોંગ અને કોલકાતામાં ડેપ્યુટી કમિશનરની કચેરીઓમાંથી પરમિટ મેળવી શકાય છે. જો કે ત્યાં જવા માટે ઓનલાઈન પરમિટ પણ લઈ શકાય છે.
મિઝોરમ
મિઝોરમ મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે તેની સરહદ વહેંચે છે. આ સાથે જ તેને ઘણા આદિવાસી સમુદાયોનું ઘર પણ છે એટલા માટે આ સ્થળની મુલાકાત લેવા માટે ઇનર લાઇન પરમિટ જરૂરી છે. ત્યાં જવા માટે સિલ્ચર, કોલકાતા, ગુવાહાટી, શિલોંગ અને નવી દિલ્હી ખાતે મિઝોરમ સરકારના લાયઝન ઓફિસર પાસેથી મેળવી શકો છો. કનવી દઈએ કે મિઝોરમની મુલાકાત લેવા માટે 2 પ્રકારની પરમિટ ઉપલબ્ધ છે - એક પરમિટ ફક્ત 15 દિવસ માટે માન્ય છે જ્યારે બીજી પરમિટ 6 મહિના માટે માન્ય છે.
સિક્કિમના અમુક વિસ્તારો -
જો તમે સિક્કિમના સંરક્ષિત વિસ્તારોની મુલાકાત લેવા માંગો છો તો એ માટે ઇનર લાઇન પરમિટની જરૂર પડે છે. સિક્કિમના નાથુલા પાસ, બાબા ટેમ્પલ ટ્રીપ, ઝોંગરી ટ્રેક, સિંગાલીલા ટ્રેક, યુમેસામડોંગ, ગુરુડોંગમાર લેક ટ્રીપ, યુમથાંગ અને ઝીરો પોઈન્ટ ટ્રીપ અને થંગુ-ચોપતા વેલી ટ્રીપ માટે મુસાફરોને પરમિટની જરૂર પડે છે અને આ માટે પરમિટ પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા પરમિટ જારી કરવામાં આવે છે. ખાસ પરમિટ મેળવવા માટે તમે ટૂર ઓપરેટર્સ અથવા ટ્રાવેલ એજન્ટની મદદ પણ લઈ શકો છો.
લક્ષદ્વીપ
ભારતીયોને લક્ષદ્વીપ જવા માટે પણ પરમિટની જરૂર પડે છે. અને આ પરમિટ માટે નજીકના પોલીસ સ્ટેશનમાંથી ક્લિયરન્સ સર્ટિફિકેટની જરૂર પણ પડે છે અને આ સિવાય દરેક દસ્તાવેજો પણ તપાસવામાં આવે છે. આ પછી પરમિટ મેળવ્યા બાદ ક્લિયરન્સ પ્રમાણપત્ર લક્ષદ્વીપમાં સ્ટેશન હાઉસ ઓફિસરને સબમિટ કરવું પડશે. આ સિવાય ત્યાં જવા માટે ઓનલાઈન પરમિટ મેળવી શકો છો.
મણિપુર
જણાવી દઈએ કે ભારતીયોને પણ મણિપુર જવા માટે પરમિટની જરૂર પડે છે. એટલા માટે ત્યાં જતાં પહેલા તમારી સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારા માન્ય ઓળખ કાર્ડ સાથે લો.
લદ્દાખ
લદ્દાખની સરહદ ચીન અને પાકિસ્તાનને સ્પર્શે છે જેના કારણે તે ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. એટલા માટે લદ્દાખના કેટલાક સ્થળોની મુલાકાત લેવા માટે પણ પરમિટ લેવી પડે છે. જેમકે પેંગોંગ, ખારદુન્ગલા પાસ અને નુબ્રા વેલી જેવા સ્થળોની મુલાકાત લેવા માટે વિશેષ પરમિટની જરૂર પડે છે.