સુરત મનપા અને લોકોની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે.તંત્રે કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તેમ છતાં લોકો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં બિન્દાસ્ત રીતે અવરજવર કરી રહ્યાં છે.
સુરત મનપા અને લોકોની ઘોર બેદરકારી સામે આવી
કન્ટેઇન્મેન્ટ ઝોનના નિયમોના ઉડ્યા ધજાગરા
કન્ટેઇન્મેન્ટ ઝોન હોવા છતાં લોકો ફરી રહ્યા છે
સુરત મનપા અને લોકોની ઘોર બેદરકારી સામે આવી
સુરતમાં લોકો કન્ટેઈન્મેન્ટ ઝોનના નિયમોના ધજાગરા ઉડતા નજરે ચઢી રહ્યા છે. કન્ટેઈન્મેન્ટ ઝોન બાબતે મનપા અને લોકોની બેદરકારી સામે આવી છે.મનપા દ્વારા આર્શીવાદ પેલેસને કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તેમ છતાં લોકો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં બિન્દાસ્ત રીતે અવરજવર કરી રહ્યાં છે.
સ્થાનિકોમાં માંગ ઉઠી છે ગાઈડ લાઈનનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવી જોઈએ
મનપાએ આર્શીવાદ પેલેસનો એક ગેટ બંધ કર્યો છે. જેને લઈને લોકો બીજા ગેટથી બિંદાસ્ત રીતે અવર જવર કરી રહ્યાં છે. આમ સુરતમાં ઓમિક્રોન અને કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે લોકો નિયમોના લીરેલીરા ઉડાવી રહ્યાં છે. બીજી તરફ આસ-પાસના રહીશોમાં માંગ ઉઠી છે. મનપાએ નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવી જોઈએ તો જ લોકો નિયમોનું પાલન કરશે
સુરતમાં વધુ 98 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત
ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં આજે જ વિવિધ શાળાઓમાં ભણતા 98 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપટે ચઢ્યાં છે. જેમાં પૂણા ગામની LPD વિદ્યાલયનાં 15 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થયા છે. તો અંકુર વિદ્યાલયના 14 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યાં છે. ભગવાન મહાવીર, નવયુગ કોલેજ, ડીઆરબી કોલેજમાં કોરોનાના કેસ પોઝિટિવ આવ્યાં છે.