આ ગરમીમાં હેલ્ધી ખોરાક જરૂરી છે જેનાથી પુરતી ઠંડક અને તાકાત મળી રહે જે તડકાથી રક્ષણ આપે. તો ચાલો જાણીએ ઉનાળામાં ઠંડક આપે એવા આયુર્વેદિક ખોરાકોને
ભારતમાં કાળઝાળ ગરમીએ દરેકને હેરાન કરી રાખ્યા છે. આવી પરીસ્થિતિમાં તમારે આ આયુર્વેદિક વસ્તુઓ ખાવી જોઈએ. આ તમારા શરીરને ગરમી સામે લડવા માટે લાંબા સમય સુધી શક્તિ આપશે. જાણો શું છે આ આયુર્વેદિક ખોરાકના ફાયદા...
મગની દાળ
મગની દાળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે. તેમાં રહેલા પોષક તત્વો અને તેની ઠંડક પ્રકૃતિ તમારા શરીરના પિત્ત દોષને સંતુલિત કરવામાં અસરકારક સાબિત થશે. ફણગાવેલી મગની દાળ પણ ખૂબ ઝડપથી પચી જાય છે જેથી તમે તેને તમારી દિનચર્યામાં પણ સામેલ કરી શકો છો.
અળસી
તમે નાસ્તામાં અળસીના બીજનું સેવન કરી શકો છો. ઠંડકના ગુણધર્મોની સાથે સાથે તે પાચનતંત્રને પણ સુધારે છે. જો તમે મેદસ્વિતા કે બ્લડ પ્રેશરની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છો તો તમારે તેને તમારી દૈનિક ખોરાકમાં સામેલ કરવું જ જોઇએ. મહિલાઓએ માસિક ધર્મ દરમિયાન તેને ન ખાવુ જોઈએ.
કાકડી
કાકડી ખાવાથી તમારું શરીર હાઇડ્રેટેડ રહેશે જે ઉનાળામાં સૌથી મહત્વપૂર્ણ છે. આયુર્વેદમાં કાકડીને સુશિતલા કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે કુદરતી ઠંડી. તમે કાકડીના રસમાં ફુદીનાના પાન ઉમેરીને પણ એક રિફ્રેશિંગ પીણું બનાવી શકો છો.
છાશ
છાશ બાળપણથી જ બધા વહાલી હોય છે અને બધી જ સિઝનમાં પીતા આવ્યા છે. પરંતુ તમને જણાવી દઈએ કે તેના સ્વાદ ઉપરાંત, તે તમારા શરીરને ડિહાઇડ્રેશનથી બચાવવાની સારી ક્ષમતા ધરાવે છે. ઉનાળામાં તમે તેને તમારી બેગમાં સાથે લઈ જઈ શકો છો.
લીમડાના પાન
લીમડાના પાન તમારા લોહીને શુદ્ધ કરવામાં મદદરૂપ થઈ શકે છે. આ ઉપરાંત લીમડાનો રસ તમને લીવર, પેનક્રિયાસ અને બ્લડ શુગરની સમસ્યા સામે લડવામાં પણ મદદ કરે છે. ઉનાળામાં લીમડાના પાનનો રસ તમારા શરીર માટે ખૂબ જ સારો રહેશે.