પદ્મશ્રી ભૂરીબાઈએ એક ભીલ શૈલીની ખાસ પરંપરા વિશે ખુલીને વાત કરી હતી.
અન્ય મોટા એવાર્ડ પણ મેળવી ચુક્યા છે ભૂરીબાઈ
પિઠૌરા પુજાના ઘોડાના ચિત્રો નથી બનાવી શકતી કોઈ મહિલા
પોતાની કળાને લોકોમા વહેંચીને પ્રોત્સાહન આપવાની કરે છે વાત
તાજેતરમાં ભીલ શૈલીના ખ્યાતનામ ચિત્ર કલાકાર ભૂરીબાઈને પદ્મ પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં આવી છે. તેઓ પ્રથમ એવા મહિલા છે કે જેમણે કાગળ અને કેન્વાસ પર પોતાના અનુભવો અને જાતીય સ્મૃતિઓને કંડારી છે. 52 વર્ષિય ભૂરીબાઈએ ભારત ભવનમાં મજૂરીથી શરૃઆત કરી અને પ્રસિદ્ધ કલાકાર જે.સ્વામીનાથનના કહેવા પર કાગળ પર ચિત્રોને ઉપસાવવાનું શરૃ કર્યુ. હાલમાં તેઓ મધ્ય પ્રદેશ જનજાતીય સંગ્રહાલય, ભોપાલથી કલાકારના રુપમાં જોડાયેલા છે.
કેવુ છે તેમનુ સંઘર્ષમયી જીવન?
ઝાબુઆ જિલ્લાના નાનાકડા ગામમાંથી ભૂરીબાઈના જીવનની યાત્રા શરુ થઈ હતી. ગરીબીમાં તેમનુ બાળપણ વિત્યું હતું. ભારત ભવનમાં તેમણે મજૂરી કરી. ચિત્રકળાના માધ્યમથી તેઓ અમેરિકા સુધી પહોંચ્યા અને પોતાની એક અલગ ઓળખાણ બનાવી. આમ ઘણા સંઘર્ષોમાંથી પસાર થઈને તેઓ પદ્મશ્રી એવાર્ડ સુધી પહોંચ્યા છે.
અત્યાર સુધી કેટલા એવોર્ડ મળ્યાં છે
પદ્મશ્રી એવોર્ડની ઘોષણા થઈ એ પહેલા પણ તેઓને ઘણાં ઍવોર્ડ મળી ચુક્યા છે. તેમના એન્ય ઍવોર્ડની વાત કરીએ તો 3 મોટા ઍવોર્ડ મળી ચુક્યા છે. જેમાં શિખર સન્માન ઍવોર્ડ, દેવી અહલ્યાબાઈ ઍવોર્ડ, રાણી દુર્ગાવતી સન્માન જેવા ઍવોર્ડનો સમાવેશ થાય છે.
પદ્મશ્રી ઍવોર્ડની ધોષણાથી શુ અનુભવે છે ભૂરીબાઈ
અગાઉ પણ એમણે ઍવોર્ડ મળી ચુક્યા છે પરંતુ જ્યારે પદ્મશ્રી ઍવોર્ડની જાહેરાત કરવામાં આવી તો તેઓ ખૂબ ખૂશ થયા એવું એમણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતુ. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, " મારી કળા દ્વારા હું અહીં સુધી પહોંચી તે બદલ હું ખુશ છું પણ એવા જે નવા કલાકાર કે જેમની કળાને હજુ સુધી કોઈ પ્રોત્સાહન નથી મળ્યું, કે તેમને કંઈક કરી બતાવવાનો અવસર નથી મળ્યો, જેને કોઈ પ્લેટફોર્મ નથી મળ્યું તેવા લોકોને આગળ લાવવાની જરુર છે ". આ અંગે તેમણે સરકારને તેવા કલાકારોને મદદરૂપ થવા માટે અનુરોધ પણ કર્યો હતો તથા પોતાની કળા અન્ય કલાકારો સાથે વહેચવાની વાત પણ કરી હતી.
પોતાનામાંથી પ્રેરણા લેનાર માટે શું
ભીલ શૈલીને કાગળ પર ઉતારનાર આ પહેલી મહિલાને જોઈને ઘણી મહિલાઓ તેમની દેખાદેખીમાં આગળ આવી. તે માટે તેઓ જણાવે છે કે, મારા ગુરુનો મારા પર આશીર્વાદ છે. કોરકૂ, ગોંડ, ભીલ કળાકારોને સંદેશ આપતા તેઓ જણાવે છે કે, " મારી કળાને તો સરકારે ઓળખી લીધી પણ મારી જેમ બીજા કલાકાર પણ આગળ આવવા જોઈએ. હું કલાકારો અને તેમના બાળકો વચ્ચે મારી કળાઓ વહેંચવા માંગુ છું. તેમને પણ એ જ કહીશ કે તેઓ પોતાના કળાથી આગળ આવે અને પોતાનુ નામ કમાય.
પુરુષો વિશે શું કર્યો ધટસ્ફોટ ?
આદિવાસીઓમાં આનુષ્ઠાનિક પિઠૌરા પુજા માટે ભિંતચિત્ર બનાવવામાં આવે છે. પરંપરા પ્રમણે તેને પુરુષો બનાવે છે પરંતુ ભૂરીબાઈએ તે પરંપરાને તોડીને આનુષ્ઠાનિક પિઠૌરા પુજાના ચિત્રો બનાવવાનુ શરુ કર્યુ. મહત્વની વાત તેમણે એ જણાવી કે આજે પણ પિઠૌરા દેવના ઘોડાનું ચિત્ર પુરુષો જ બનાવે છે. તે કોઈ મહિલા કે છોકરીઓ બનાવી નથી શકતી. એટલે હું પણ પિઠૌરા દેવના ઘોડાને છોડીને આનુષ્ઠાનને લગતા અન્ય ચિત્રો જેમ કે, ઝાડ, મોર બનાવુ છું. આ ઉપરાંત ગામડાંના ઘરનું જીવન, ઝાડ- છોડવા, જાનવરોની પેઈન્ટીંગ બનાવું છું.
જાણો તેમના ચિત્રોમા રહેલા ડોટ્સનું મહત્વ
ભૂરીબાઈના ચિત્રોમાં માટાભાગે ડોટ્સ અને ચટાકેદાર રંગો જોવા મળે છે તે અંગે તેઓ જણાવે છે કે, તે ગોંડ પેઈન્ટીંગની ઓળખાણ છે. તેમા રેખાઓનો વધુ પ્રયોગ કરવામાં આવે છે. જે મક્કા એમારે ત્યાં ઉગાડવામાં આવે છે ત્યાંથી જ આ ડોટ્સ ( બિંદી) આવી છે. અમે જ્યારે ખેતરમાં પાક વાવીએ છીએ કે ધાન રોપીએ તે દિવસથી અમે કાકડી, રીંગણ, ભીંડી વાવ્યા પછી ખાવાનું છોડી દઈએ છીએ. અને જ્યારે તે પાકી જાય ત્યારે અમારા દેવને મક્કા ચડાવીને તેના દાણાનું નૈવેધ રાખીએ છીએ. તે બાદ કાકડી, ભીંડી પુજા કરીએ અને પછી તે ખાઈએ છીએ. આ જ અમારી ઓળખ છે. પહેલુ અન્ન જીવન માટે છે અને અમે પહેલા અમારા દેવને ખવડાવીશુ પછી જ અમે ખાઈએ. ગેરુ, નીલ જેવા રંગોથી હું બાળપણમાં ઘરની દિવાલોને રંગતી હતી. મારી આસપાસનું જીવન મારા ચિત્રોમાં ઉતરી આવે છે. આ જ મારા ચિત્રોમા રહેલા ચટાકેદાર રંગનુ રહસ્ય છે.
મહત્વનુ છે કે, જે. સ્વામીનાથન જ્યારે ભારત ભવનના નિદેશક હતા ત્યારે ભૂરીબાઈની કળાને તેમણે પહેલી વાર ઓળખી હતી. તેમને યાદ કરતા ભૂરીબાઈ જણાવે છે કે, " મારા ગુરુ મારા માટે ભગવાન હતા. તેઓના અવસાન બાદ પણ આજેય તેમની દેવ કૃપાનો હાથ મારા માથા પર છે. હું કોઈપણ ચિત્ર બનાવું છું ત્યારે સૌ પ્રથમ તેમને જ યાદ કરુ છું અને એટલે જ મને સફળતા મળે છે ".