મહિલાઓએ દરરોજ ૨.૭ લિટર અને પુરુષોએ ૩.૭ લિટર પાણી પીવું જરૂરી છે, પરંતુ અનેક લોકો પર્યાપ્ત માત્રામાં પાણી પીતા નથી.
પાણીની ઉણપથી શરીરમાં અનેક પ્રકારના રોગો થાય
મહિલાઓએ દરરોજ ૨.૭ લિટર અને પુરુષોએ ૩.૭ લિટર પાણી પીવું
શરીરમાં પાણીની ઉણપ છે તે કેમ ખ્યાલ આવે?
પાણી વ્યક્તિના શરીર માટે સૌથી જરૂરી વસ્તુ છે. પાણીની ઉણપથી શરીરમાં અનેક પ્રકારના રોગો થવા લાગે છે. પાણીની ઉણપને કારણે શરીરને અનેક પ્રકારનું નુકસાન થાય છે. મહિલાઓએ દરરોજ ૨.૭ લિટર અને પુરુષોએ ૩.૭ લિટર પાણી પીવું જરૂરી છે, પરંતુ અનેક લોકો પર્યાપ્ત માત્રામાં પાણી પીતા નથી. ખાસ કરીને ઠંડીની સિઝનમાં મોટાભાગનાં લોકોથી પાણી ઓછુ પીવાતુ હોય છે. કેમકે આ સીઝનમાં પાણીની તરસ પણ ઓછી લાગે છે.
ઓછું પાણી પીવાથી થઈ શકે છે આ બીમારીઓ
ઓછુ પાણી પીવાથી શરીરમાં ડિહાઇડ્રેશન થઇ જાય છે જેના કારણે કબજિયાત જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય પાણીની ઉણપથી માથાના દુખાવો, થાક, ચક્કર, નબળાઇ, મોં સુકાઇ જવું, લો બ્લડ પ્રેશર, પગમાં સોજા પણ આવી શકે છે.
પાણીની ઉણપથી શરીર ડિહાઇડ્રેટ થતુ જાય
ઘણાં બધા લોકો શરીરમાં પાણીની ઉણપને ગંભીરતાથી લેતા નથી, પરંતુ આ વાતને તમારે ધ્યાનમાં લેવી જરૂરી છે કારણકે પાણીની ઉણપથી અનેક ગંભીર બીમારીઓ થઇ શકે છે. ઓછી તરસ લાગે તેનો અર્થ એ નથી કે તમારા શરીરને પાણીની જરૂરિયાત નથી. પાણીની ઉણપથી શરીર ધીરે-ધીરે ડિહાઇડ્રેટ થતુ જાય છે. ડિહાઇડ્રેશન શરીરના મુખ્ય અંગો પર ખરાબ અસર પાડે છે.
પાણી દરેક વ્યક્તિના શરીરમાં મહત્વનું કામ કરે છે. તે તમને હાઇડ્રેટેડ રાખે છે અને સાથે ત્વચાની ચમક જાળવી રાખે છે. પાચન કરવામાં પણ પાણી મહત્વનો ભાગ ભજવે છે. ડિહાઇડ્રેશનને કારણે મૂડ સ્વિંગની સમસ્યા, શરીરનું તાપમાન વધવુ, કિડની સ્ટોન અને કબજીયાત જેવી તકલીફો પણ થઇ શકે છે. પાણીની ઉણપને કારણે લાંબા સમયે તમને પેટની બીમારીઓ પણ થઇ શકે છે.
શરીરમાં પાણીની ઉણપ છે તે કેમ ખ્યાલ આવે?
શરીરમાં પાણીની ઉણપને કારણે ભૂખ વધારે લાગે છે. કંઇને કંઇ નવુ ખાવાનું ક્રેવિંગ રહેતુ હોય છે. એવામાં અચાનક ભૂખ લાગવી પણ પાણીની ઉણપ હોવાનો એક સંકેત છે. લો બ્લડ પ્રેશર, થાક, માથાનો દુખાવો, ગભરામણ અને વધારે ઊંઘ આવવી પણ શરીરમાં પાણીની ઉણપનો ઇશારો કરે છે. એવામાં ભરપૂર માત્રામાં પાણી પીઓ અને આ બીમારીઓને દૂર કરો.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.