ઉત્તર પ્રદેશના પીલીભીત બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વરૂણ ગાંધીએ એક જનસભાને સંબોધન કર્યું હતું. પરંતુ આ રેલીના સંબોધનમાં પોતાની માતા તેમજ કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધીથી અલગ એટલે કે ઉલટું ભાષણ આપતા જોવા મળ્યાં.
વરૂણ ગાંધીએ સભાને સંબોધન કરતાં કહ્યું કે હું મુસ્લિમ ભાઇઓને એક વાત કહેવા માંગુ છુ કે જો તમે મને મત આપશો તો સારું લાગશે, જો તમે મને મત નહીં આપો તો કોઇ વાત નહીં. જો મને મત નહીં આપો તો પણ મારી પાસેથી કામ લેજો. મને કોઇ વાંધો નથી.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ યુપીની સુલતાનપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને વરૂણ ગાંધીના માતા એવા કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધીએ એક રેલીને સંબોધનમાં વિવાદીત નિવેદન આપતા હોબાળો મચી ગયો હતો. મેનકા ગાંધીએ સંબોધન કરતાં કહ્યું હતું કે હું જીતી રહી છું લોકોની મદદ અને પ્રેમથી જીતી રહી છું.
જો મારી જીત મુસ્લિમ મતદાતાઓ વગર થશે તો મને સારું લાગશે નહીં. જો મને મત મળે ત્યારે બાદ મુસ્લિમ મતદાતાઓ જો કામ આવે છે તો તેના માટે વિચારું છું કે રહેવા દો, શું ફર્ક પડે છે. મેનકા ગાંધીના આ નિવેદન પર ચૂંટણી આયોગે તેમના ચૂંટણી પ્રચાર માટે 48 કલાકનો પ્રતિબંધ મુકી દીધો હતો. જો કે હવે વરૂણ ગાંધીએ માતા મેનકા ગાંધી કરતાં ઉલટ નિવેદન આપ્યું છે.