ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની વરિષ્ઠ નેતા તથા પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું મંગળવારે રાતે હાર્ટ એટેક આવતા નિધન થયુ. તેમના પરિવારમાં પતિ સ્વરાજ કૌશલ અને એક પુત્રી બાંસુરી સ્વરાજ છે.
સુષમા સ્વરાજ ટ્વિટર પર એક્ટિવ રહે છે, તેઓ સરકારના તે મંત્રીમાંથી એક હતા, જેમણે જનતાની ફરિયાદો પર સતત કાર્યવાહી કરતા હતા. વિઝાની સમસ્યાથી લઇને પાસપોર્ટની મુશ્કેલી સુધી, ટ્વિટર પર તેમના જવાબોને વાંચીને અને તેના પર કાર્યવાહી કરીને લોકોની મદદ કરી.
એક વખત એક વ્યકિતએ સુષમાજીની ટ્વીટ કરીને પૂછ્યુ તે, હું મંગળ પર અટકી ગયો છું. મંગળયાનથી મોકલેલુ ખાવાનું પૂરુ થઇ ગયુ છે. મંગળયાન-2 ક્યારે મોકલવામાં આવશે? આ પર સુષમાજીએ ટ્વીટમાં જવાબ આપતા કહ્યુ કે, ''તમે મંગળ પર છો તો શું થયું, ત્યાંની ઇન્ડિયન એમ્બસી તમને મદદ કરશે.''
એક ટ્વીટથી કરી લોકોની મદદ:
Even if you are stuck on the Mars, Indian Embassy there will help you. https://t.co/Smg1oXKZXD
2014-2019 સુધી તેઓ વિદેશ મંત્રી રહ્યા અને સુષમા સ્વરાજ ટ્વિટર પર લોકોને ઘણી મદદ કરી છે. દુનિયાભરમાં ભારતીયોને તેમણે એક ટ્વીટની પર મદદ કરી છે. જોકે સ્વાસ્થ્યના કારણોસર 2019ના લોકસભા ચૂંટણી ના લડવાનો નિર્ણય કર્યો. જોકે, ભાજપની જીત પછી માનવામાં આવી રહ્યુ હતુ કે તેઓ વિદેશ મંત્રી બનશે, પરંતુ સ્વાસ્થ્યના કારણે તેઓએ મંત્રી પદ ના લીધું.
.. અને ટ્વિટર પર આપ્યો ભાવનાત્મક સંદેશ:
प्रधान मंत्री जी - आपने 5 वर्षों तक मुझे विदेश मंत्री के तौर पर देशवासियों और प्रवासी भारतीयों की सेवा करने का मौका दिया और पूरे कार्यकाल में व्यक्तिगत तौर पर भी बहुत सम्मान दिया. मैं आपके प्रति बहुत आभारी हूँ. हमारी सरकार बहुत यशस्विता से चले, प्रभु से मेरी यही प्रार्थना है.
2019ની લોકસભા ચૂંટણી ના લડવાની જાહેરાત પર સુષમા સ્વરાજએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળના શપથ ગ્રહણ પછી એક ભાવનાત્મક સંદેશો લખ્યો. ગત કાર્યકાળમાં 5 વર્ષ કાર્ય કરવાનો મૌકો આપવો અને સરકાર તરફથી મળેલા સન્માન માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો. ટ્વીટમાં સુષમા સ્વરાજે કહ્યુ કે, પ્રધાનમંત્રી જી, તમે મને 5 વર્ષ સુધી વ્યકિતગત રૂપથી વિદેશમંત્રીના રૂપથી આપણા દેશવાસીઓ અને પ્રવાસી ભારતીયોની સેવા કરવા માટેનો મૌકો આપ્યો.
સુષમાજીનુ અંતિમ ટ્વીટ:
प्रधान मंत्री जी - आपका हार्दिक अभिनन्दन. मैं अपने जीवन में इस दिन को देखने की प्रतीक्षा कर रही थी. @narendramodi ji - Thank you Prime Minister. Thank you very much. I was waiting to see this day in my lifetime.
સુષમા સ્વરાજ નિધન પામ્યાના 4 કલાક પહેલા જ એક ટ્વીટ કર્યું. આ ટ્વીટ તેમનું અંતિમ ટ્વીટ બન્યું હતું. સુષમા સ્વરાજે આ ટ્વીટ આર્ટિકલ 370ને અનુલક્ષીને લખતાં કહ્યું કે, પ્રધાનમંત્રીજી- આપને હાર્દિક અભિનંદન, હું મારા જીવનમાં આ દિવસને જોવાની પ્રતિક્ષા કરી રહી હતી.