શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાનની જામીન અરજી પર આજે સુનવણી થવાની છે.
જામીન મળશે તો પણ આર્યન રહેશે જેલમાં
પબ્લિક હોલીડેના કારણે જેલમાં રહેવું પડશે
આર્યનની જામીનની અરજી પહેલા રિજેક્ટ થઇ હતી
થોડી જ વારમાં આર્યન ખાનની જામીન અરજી પર સુનવણી થવા જઇ રહી છે ત્યારે તેના વકીલ સતીશ માનશિંદે કોર્ટમાં પહોંચી ગયા છે. સાથે જ NCBની ટીમ પણ સેશન્સ કોર્ટ પહોંચી ગઇ છે અને મુંબઇ સેશન કોર્ટમાં આ મુદ્દે સુનવણી થશે.
પહેલા પર આર્યનની જામીનની અરજીને 2 વાર રિજેક્ટ કરી દેવામાં આવી છે. તેની માતા ગૌરી ખાનના જન્મદિવસના દિવસે જ આર્યનની જામીનની અરજી રદ્દ કરી દેવામાં આવી હતી. તે બાદ તેને આર્થર રોડ જેલમાં લઇ જવામાં આવ્યો હતો. તેની સાથે અન્ય કથિત આરોપી પણ હતાં જ્યારે મહિલા કથિત આરોપીઓને ભાયકુલા જેલમાં લઇ જવામાં આવી હતી.
કેમ 4 રાત આર્યને જેલમાં રહેવું પડશે?
શનિવાર અને રવિવારે કોર્ટ બંધ રહે છે જે 23 તેમજ 27 તારીખે કોમ્પ ઓફ તરીકે ચાલું રહેશે. તે સિવાય કોર્ટ શુક્રવાર અને સોમવારે પણ પબ્લિક હોલી ડે છે તેના કારણે બંધ રહેશે. માટે 4 દિવસ માટે આર્યન ખાને જેલમાં જ રહેવું પડશે. જો તેને જામીન મળી પણ જાય છે તો પણ તેને 4 દિવસ જેલમાં રહેવું પડશે.
નવાબ મલિકનો આરોપ
નવાબ મલિકે NCB પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું કે જાણી જોઇને હાઇપ્રોફાઇલ કેસને તેઓ લાંબો ખેંચે છે અને જામીન મળવામાં ડિલે થાય છે. આર્યન ખાન કેસમાં પણ તેવું જ થઇ રહ્યું છે. મારા જમાઇ પાસે કોઇ પ્રકારના ડ્રગ નહોતા મળ્યા તો પણ તેને ફસાવવામાં આવ્યો અને જામીન ન આપ્યા. તેણે 8 મહિના જેલમાં રહેવું પડ્યું હતું.