નોકરી મુદ્દે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું કે, તમામ લોકોને સરકારી નોકરી આપવી ભગવાનના પણ હાથમાં નથી. પ્રમોદ સાવંતે 'સ્વયંપૂર્ણ મિત્ર'ની પહોંચની પહેલ શરૂ કર્યા પછી પંચાયતના પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં આ વાત કરી હતી. તેમણે કહ્યું, 'બધાને સરકારી નોકરી આપવી શક્ય નથી.
ભગવાન પણ મુખ્યમંત્રી બને તો પણ તમામને ન આપી શકે સરકારી નોકરી
ગોવાના મુખ્યમંત્રીનું નિવેદન
તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, આવતીકાલે ભગવાન મુખ્યમંત્રી બની જાય તો પણ તમામને નોકરી આપવી શક્ય નથી. સાવંતે રાજ્યના ગામના લોકોને રોજગાર ઉપલબ્ધ કરાવવા માટે સ્વયંમિત્રની શરૂઆત કરાવી છે. આપને જણાવી દઇએ કે, આ પહેલ અંતર્ગત ગોવામાં સ્વયંપૂર્ણ મિત્ર ગેઝેટેડ અધિકારી પંચાયતોની મુલાકાત લેશે અને વિકાસ સંબંધી યોજનાઓને લાગુ કરવા માટે મહેનત કરશે.
ગોવા સરકાર એક વિશેષ અભિયાન અંતર્ગત રાજ્યના 3.5 લાખ રેશનકાર્ડ ધારકોને કિલો દીઠ રૂ. 32 ના દરે ડુંગળી પ્રદાન કરશે. એક વરિષ્ઠ અધિકારીએ શનિવારે આ માહિતી આપી. નોંધનીય છે કે ડુંગળીના ભાવમાં ભારે વધારો થયા બાદ ગોવા રાજ્ય મંત્રીમંડળે બુધવારે લોકોને ડુંગળીના દરે ડુંગળી આપવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. રાજ્યના નાગરિક પુરવઠા વિભાગના નિયામક સિદ્ધિવિનાયક નાયકે કહ્યું, "ગોવા સરકારે નાસિકની રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટિંગ ફેડરેશન (નાફેડ) પાસેથી 1,045 મેટ્રિક ટન ડુંગળી ખરીદવાનો આદેશ આપ્યો છે અને રેશનકાર્ડ ધારકોને સપ્લાય કરવામાં આવશે."