ઉન્નાવ ગેંગ રેપ મામલે ઉત્તર પ્રદેશની યોગી સરકારના મંત્રીએ એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 100 ટકા ક્રાઇમ ન થવાની ગેરંટી તો ભગવાન રામ પણ લઇ શકે નહીં.
ઉન્નાવ ગેંગ રેપ મામલો
યોગી સરકારના મંત્રીનો બફાટ
100 ટકા ક્રાઇમની ગેરંટી તો ભગવાન રામ પણ ન લઇ શકે
આપને જણાવી દઇએ કે, ઉન્નાવમાં માનવતા ફરી લજવાઇ છે. ઉન્નાવના બિહાર થાણા ક્ષેત્રના એક ગામમાં રહેતી સામૂહિક દૂષ્કર્મ પીડિતાને ગુરૂવારના રોજ સવારે 5 યુવકોએ પેટ્રોલ નાંખી સળગાવાનો પ્રયત્ન કર્યો હતો. પિતાએ આપેલ જાણકારી મળ્યા બાદ પોલીસે પીડિતાને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં હતી.
#WATCH UP Minister,Ranvendra Pratap Singh: Jab samaj hai, to samaj mein ye keh dena ke 100% crime nahi hoga, ye surety to mujhe nahi lagta Bhagwan Ram ne bhi de payi ho. Lekin ye surety zaroor hai agar crime hua hai to saza hogi aur vo jail jayega pic.twitter.com/8U5Fr90ML7
બીજી તરફ સરકારનો બચાવ કરતા યુપીના ખાદ્ય, લોજિસ્ટિક્સ અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી રણવેન્દ્ર પ્રતાપસિંહ ઉર્ફે ધુન્નીસિંહે કહ્યું કે યોગી અને મોદીની સરકારના આરોપીઓને સુરક્ષા મળતી નથી, જ્યારે અગાઉની સરકારોમાં ગુનેગારો સામે કોઈ ગુનો નોંધાયો ન હતો.
પીડિતાને લખનઉથી દિલ્હી ખસેડાઇ
સામુહિત દૂષ્કર્મનો ભોગ બનેલી પીડિતાની હાલતને જોઇને લખનઉની હોસ્પિટલમાંથી એર લિફ્ટીંગ કરીને દિલ્હી સફદરજંગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
Lucknow: Woman who was set ablaze in Bihar area of Unnao earlier today is being taken to Lucknow airport from where she will be airlifted to Delhi. pic.twitter.com/wdplX635I6
જો કે પીડિતાને સળગવાનો પ્રયત્ન કરતા પીડિતાએ બુમાબુમ કરતા આરોપીઓ ભાગી નીકળ્યાં હતા. પીડિતાએ જણાવ્યું કે આરોપીઓ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. પીડિતાએ 5 આરોપીઓના નામ કહ્યા જેમાંથી ત્રણની અટકાયત કરી અને પુછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે અન્ય બેની શોધખોળ ચાલી રહી છે.