17 ઓક્ટોબરે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી યોજાશે. કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની આ રેસમાં કોંગ્રેસ નેતા શશિ થરૂર પણ છે, પરંતુ કોંગ્રેસ નેતાઓનું સમર્થન મલ્લિકાર્જુન ખડગેની તરફ વધારે છે.
17 ઓક્ટોબરે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી યોજાશે
G-23 નેતાઓએ આપ્યું મલ્લિકાર્જુન ખડગે સમર્થન
કોંગ્રેસને પણ પાર્ટી માટે સુરક્ષિત હાથોની જરૂર છેઃ મનીષ તિવારી
મલ્લિકાર્જુન ખડગેને કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી (Congress President Election) માટે તમામ કોંગ્રેસના નેતાઓનું સમર્થન મળી રહ્યું છે. કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ પણ હવે તેમના G-23ના સાથી સભ્ય શશિ થરૂરની અવગણના કરીને ખડગેની પ્રશંસા કરી છે. તેમનું કહેવું છે કે, કોંગ્રેસ પાર્ટીને 'Safe Pair of Hands' એટલે કે એવા હાથોની જરૂર છે, જે પાર્ટીને સંભાળી શકે. તેમણે કહ્યું કે, ખડગેના રૂપમાં પાર્ટીને એક એવા નેતાની જરૂર છે, જે પાર્ટી અધ્યક્ષ તરીકે સ્થિરતા પ્રદાન કરી શકે. બીજી તરફ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ખડગેના સમર્થનમાં છે.
ખડગેએ 50થી વધુ વર્ષો કોંગ્રેસની સેવામાં સમર્પિત કર્યાઃ તિવારી
કોંગ્રેસ નેતા મનીષ તિવારી 30 સપ્ટેમ્બરે ખડગેના સમર્થકોમાંથી પણ એક હતા. તેમણે કહ્યું કે, જો તમામ તથ્યો પર વિચાર કરવામાં આવે અને નિષ્પક્ષ મૂલ્યાંકન કરવામાં આવે તો મલ્લિકાર્જુન ખડગેએ તેમના જીવનના 50થી વધુ વર્ષો કોંગ્રેસની સેવામાં સમર્પિત કર્યા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસને પણ પાર્ટી માટે સુરક્ષિત હાથોની જરૂર છે. તેમણે કોંગ્રેસમાં ઘણાં વર્ષો વિતાવ્યા છે અને પાર્ટીમાં સૌથી નીચલા પદો પરથી આગળ વધીને આજે અહીં પહોંચ્યા છે.
17 ઓક્ટોબરે યોજાશે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી
કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની આ રેસમાં કોંગ્રેસ નેતા શશિ થરૂર પણ છે, પરંતુ કોંગ્રેસ નેતાઓનું સમર્થન મલ્લિકાર્જુન ખડગેની તરફ વધારે છે. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી 17 ઓક્ટોબરે યોજાશે અને પરિણામ 19 ઓક્ટોબરે જાહેર થશે. 22 વર્ષ બાદ દેશની સૌથી જૂની પાર્ટીના અધ્યક્ષની ચૂંટણી દ્વારા પસંદગી કરાશે.