તૌકતે વાવાઝોડાને 5 મહિલાથી વધુનો સમય વીતી ગયો તેમ છતા હજુ સુધી નુકસાનની સહાય ન મળતા ખેડૂતોએ વીજ કચેરીમાં ધામા નાખ્યાં
તૌકતે વાવાઝોડાની હજુ પણ અસર
ખેડૂતોને નથી મળી રહી વીજળી
5 મહિના બાદ પણ નથી મળી વીજળી
તૌકતે વાવાઝાડા રાજ્યમાં અનેક જગ્યાએ કહેવ વર્તાવ્યો હતો અને સૌથી વધુ વિનાર સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં વેર્યો હતો જ્યાં ખેતી, વીજ, મકાનોને મોટા ભાગે વધુ નુકસાન પહોંચ્યું હતું જો કે વાવાઝોડા બાદ પણ અતિવૃષ્ટએ પડતા પર પાટુ માર્યું, જેમાં ખેડૂતોના મબલખ પાકને નુકસાન પહોંચ્યું હતું
ખેડૂતોને નથી મળી રહી વીજળી
જો કે હવે તૌકતે વાવાઝોડાને 5 મહિલાથી વધુનો સમય વીતી ગયો છે. પરતું વાવાઝોડામાં જે લોકોને નુકસાન થયું છે તેઓએ હજુ સુધી સહાય મળી નથી, સહાયથી વંચિત લોકો સરકાર દ્વારા નુકસાનીની ભરપાઈ કરવામાં આવે તેવી રાહ જોઈને બેઠા છે, સરકારે તૌકતે વાવાઝોડા બાદ અસરગ્રસ્તોને સહાય આપવાની જાહેરાત કરી હતી પરતું આજદિન સુધી કેટલાક લોકોને એ સહાય મળી નથી જેને લઈને આજે ખેડૂતોએ વીજ કચેરી ખાતે ધામા નાંખ્યા છે.
રાજુલાના વાવેરા ગામની ઘટના
તૌકતે વાવાઝોડું આવ્યાને અત્યાર સુધીમાં 5 મહિના પુર્ણ થવા આવ્યા પણ અમરેલી જિલ્લાના કેટલાક તાલુકામાં ખેડૂતોને હજુ પણ વિજળી મળી નથી રહી અમરેલીના રાજુલામાં વાવેરા ગામના ખેડૂતો હવે આ મામલે લડી લેવાના મૂડ બનાવી રહ્યા છે વાવાઝોડાના કહેર બાદ અનેક ગામોમાં વીજ પોલ ધરાશાયી થઈ ગયા તો ખેડૂતોના પાકને પણ ખાસુ એવું નુકસાન પહોંચ્યું હતું.
5 મહિના બાદ પણ નથી મળી વીજળી
વાવાઝોડાના કારણે વીજ કનેક્શન ખોરવાયું હતું વીજ વિભાગ દ્વારા વીજ કનેક્શન પુન: શરૂ કરવાના દાવા પણ થયા હતા. જોકે વાવેરા ગામના ખેડૂતોને હજુ સુધી વીજળી પહોંચી નથી ત્યારે હવે ખેડૂતોએ વીજળી ન મળતા વીજ કચેરીમાં ધામા નાખ્યા છે અને જો વીજળી નહીં મળે તો ખેડૂતોએ ઉપવાસ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.