કંપનીનો વાર્ષિક નફો 21 ટકા વધીને 4845 કરોડ રૂપિયા જેટલો રહ્યો છે, 2019ના છેલ્લા ક્વાર્ટરમાં આ નફો 4074 હજાર કરોડ જેટલો રહ્યો હતો.
ઇન્ફોસિસે વચગાળાના ડિવિડન્ડનું કર્યું એલાન
ઇન્ફોસિસે પોતાના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા
ત્રિમાસિક આધાર પર આ પ્રોફિટમાં 14.4 ટકા જેટલો વધારો
ભારત ની બીજા નંબરની સૌથી મોટી સોફ્ટવેર કંપની ઇન્ફોસિસ એ પોતાના બીજા ક્વાર્ટરના રિઝલ્ટ્સ જાહેર કર્યા છે, આ ક્વાર્ટરમાં ઈન્ફોસિસ નો કન્સોલિડેટેડ પ્રોફિટ ૪૮૪૫ હજાર કરોડ રૂપિયા નોંધાયું છે જેમાં ત્રિમાસિક આધાર પર 14.4 ટકાનો વધારો નોંધાયો છે.
કંપનીનો વાર્ષિક નફો 21 ટકા વધ્યો
વાર્ષિક ધોરણે, કંપનીનો નફો લગભગ 21 ટકા વધીને રૂ. 4845 કરોડ થયો છે. એક વર્ષ પહેલા છેલ્લા ક્વાર્ટરમાં કંપનીનો નફો ૪૦૭૪ કરોડ રૂપિયા રહ્યો હતો, તે જ સમયે, ત્રિમાસિક ધોરણે, તેમાં 14 ટકાનો વિકાસ થયો છે. જૂન ક્વાર્ટરમાં ઇન્ફોસિસ ને 4233 કરોડ રૂપિયાનો નફો થયો હતો.
જો આપણે આવકની વાત કરીએ તો 30 સપ્ટેમ્બર 2020 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપની ની આવક ત્રિમાસિક ધોરણે 3.8 ટકા વધીને ૨૪૫૭૦ કરોડ રૂપિયા થઈ ગઈ છે. તે જ સમયે, વાર્ષિક ધોરણે આવકમાં 8.6 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં કંપનીની આવક 22,629 કરોડ રૂપિયા હતી.
ગ્રાહકોના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં અમારો સહયોગ મહત્વપૂર્ણ છે : ઈન્ફોસિસ CEO
કંપની ના CEO અને મેનેજિંગ ડિરેક્ટર સલિલ પારેખ કહે છે કે કંપનીના બીજા ક્વાર્ટરના પરિણામો કંપનીના ગ્રાહકોને તેમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં સહયોગ કરવાની અમારી ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે.
મહત્વનું છે કે કંપનીએ બીજા ક્વાર્ટરમાં 3.15 અબજ ડોલરના નવા સોદા કર્યા છે, જે અત્યાર સુધીમાં કોઈપણ ક્વાર્ટરમાં થયેલી એક ખુબ જ મોટી ડીલ છે. નોંધનીય છે કે જૂન ક્વાર્ટરમાં કંપનીએ 1.૭૪ અબજ ડોલરની ડીલ કરી હતી જયારે કે તે જ સમયે, કંપનીએ શેર દીઠ 12 રૂપિયાના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત પણ કરી છે.