વાસ્તુમાં ઉત્તર દિશાના મહત્વ વિશે અને સાથે જ ઉત્તર દિશામાં શું હોવું જોઈએ અને શું ન હોવું જોઈએ એ વિશે પણ માહિતી આપીશું.
ઉત્તર દિશાને ભગવાન કુબેર અને મા લક્ષ્મીની દિશા માનવામાં આવે છે
ઉત્તર દિશામાં શું ન રાખવું જોઈએ
ઉત્તર દિશામાં શું રાખવું શુભ માનવામાં આવે છે?
વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું સૌથી વિશેષ મહત્વ છે. દરેક દિશાનું પોતાનું અલગ અલગ મહત્વ છે. આપણે જાણીએ છીએ કે કુલ 4 દિશાઓ છે ઉત્તર, પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ. આ ઉપરાંત 4 પેટા-દિશાઓ પણ છે જેમાં ઉત્તર-પૂર્વ, દક્ષિણ-પૂર્વ, દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ છે. જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં તમામ દિશાઓને લગતા કેટલાક નિયમો અને ખાસ વાતો જણાવવામાં આવી છે. એવામાં વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર દિશાને ભગવાન કુબેર અને મા લક્ષ્મીની દિશા માનવામાં આવે છે અને આ દિશામાંથી વધુ પડતો સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે એ જ કારણ છે તે તેને પૂજા, જપ અને યોગાભ્યાસ માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે. આજે અમે તમને વાસ્તુમાં ઉત્તર દિશાના મહત્વ વિશે અને સાથે જ ઉત્તર દિશામાં શું હોવું જોઈએ અને શું ન હોવું જોઈએ એ વિશે પણ માહિતી આપીશું.
શૌચાલયની દિશા
ઉત્તર દિશામાંથી સૌથી વધુ સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને આ કારણે જ ઘર બનાવતી વખતે શૌચાલય ક્યારેય ઉત્તર દિશામાં ન રાખવું જોઈએ. આને વાસ્તુમાં સૌથી મોટો દોષ માનવામાં આવે છે. જે ઘરમાં ઉત્તર દિશામાં શૌચાલય હોય ત્યાં આર્થિક સમસ્યાઓ હંમેશા રહે છે અને વાસ્તુના આ દોષને કારણે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ નથી થતો. જો તમારા ઘરની ઉત્તર દિશામાં શૌચાલય છે તો વાસ્તુની મદદથી આ દોષ દૂર કરી શકાય છે. એ માટે તમારે એક કાચના કપને મીઠાથી ભરીને તેને બાથરૂમના ખૂણામાં રાખવી જોઈએ અને પછી તેને સમયાંતરે બદલતા રહો. આ એક નાના ઉપાયથી તે વાસ્તુદોષ દૂર થાય છે.
ઉત્તર દિશામાં ન રાખો જૂતાં અન ચપ્પલ
વાસ્તુ અનુસાર ઉત્તર દિશામાં ભગવાન કુબેર અને મા ક્ષ્મીનો વાસ હોવાનું માનવામાં આવે છે અને ભગવાન કુબેરને ધન અને સુખ-સમૃદ્ધિના દેવતા માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ક્યારેય પણ જૂતા અને ચપ્પલ આ દિશામાં ન રાખવા જોઈએ. જો વ્યક્તિ ઉત્તર દિશામાં પગરખાં ઉતારે તો તેની કારકિર્દીમાં અવરોધો આવે છે.
ઉત્તર દિશામાં ક્યારેય ન રાખવી ભારે વસ્તુઓ
વાસ્તુશાસ્ત્ર અનુસાર હળવી અને ઓછી વસ્તુઓ હંમેશા ઉત્તર દિશામાં રાખવી જોઈએ. આવી સ્થિતિમાં પથારી કે કોઈપણ પ્રકારનું ફર્નિચર પણ આ દિશામાં ન રાખવું. જો એમ કરવાંમાં આવે તો સકારાત્મક ઉર્જાના પ્રવેશમાં અવરોધો આવે છે અને મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે આ દિશાની જગ્યા ખાલી અને ખુલ્લી હોવી જોઈએ.
કચરો કે ડસ્ટબીન ન રાખો
કચરો કે ડસ્ટબીન જએવી વસ્તુઓને ઉત્તર દિશામાં ન રાખવું જોઈએ આ સાથે જ કોઈપણ પ્રકારની તૂટેલી વસ્તુઓ પણ એ દિશામાં ન રાખવી જોઈએ. પૈસા, તિજોરી અને બાળકોનું વાંચન ટેબલ વાસ્તુ દિશામાં રાખવું વધુ શુભ ગણવામાં આવે છે.
ઉત્તર દિશામાં શું રાખવું શુભ માનવામાં આવે છે?
વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર દિશામાં ભગવાન કુબેર અને મા લક્ષ્મીની દિશા માનવામાં આવે છે એટલા માટે આ દિશામાં તિજોરી રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેના કારણે ઘરમાં હંમેશા દેવી લક્ષ્મીનો વાસ રહે છે. આ સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિ અને આશીર્વાદ મેળવવા માટે ઘરની ઉત્તર દિશામાં તુલસીનો છોડ રાખવો અને મની પ્લાન્ટ લગાવવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઉપરાંત જો અરીસો ઉત્તર દિશામાં લગાવવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે. ખાસ કરીને ઉત્તર દિશામાં દીવાલો પર આછો વાદળી રંગ કરાવો પણ શુભ માનવામાં આવે છે.