સમગ્ર વિશ્વમાં મંદીના માહોલ વચ્ચે હવે ભારતને લઈ એક મોટા સમાચાર, ભારતનો આર્થિક વિકાસ દર આગામી નાણાકીય વર્ષમાં એટલે કે 2023-24માં.......
સમગ્ર વિશ્વમાં મંદીના માહોલ વચ્ચે હવે ભારતને લઈ એક મોટા સમાચાર
ભારતનો GDP ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં વિકાસ દર 6.9 ટકા રહેવાનો અંદાજ
આગામી નાણાકીય વર્ષમાં 2023-24માં ઘટીને 6.6 ટકા થઈ જશે
સમગ્ર વિશ્વમાં મંદીના માહોલ વચ્ચે હવે ભારતને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ તરફ હવે વિશ્વ બેંકે તેના તાજેતરના અહેવાલમાં આવા જ કેટલાક સંકેતો આપ્યા છે. મંગળવારે જાહેર થયેલા વાર્ષિક અહેવાલમાં વિશ્વ બેંકે વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિકાસ દરના અંદાજને ઘટાડીને 1.7 ટકા કર્યો છે. અગાઉ તે ત્રણ ટકા રહેવાની આગાહી કરવામાં આવી હતી.
વિશ્વમાં મંદીનો માહોલ
વૈશ્વિક સંસ્થાએ તેના અહેવાલમાં કહ્યું છે કે અમેરિકા, ચીન અને યુરોપ જેવી વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓના વિકાસ દરમાં ઘટાડાને કારણે ચાલુ વર્ષમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદીની ખૂબ નજીક જણાઈ રહી છે. આને ધ્યાનમાં રાખીને 2023 માટે વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિકાસનો અંદાજ ઘટાડીને 1.7 ટકા કરવામાં આવ્યો છે. અગાઉ તે ત્રણ ટકા રહેવાની આગાહી કરવામાં આવી હતી.
ભારતને લઈ વિશ્વ બેંકનું અનુમાન
વિશ્વ બેંકે અનુમાન લગાવ્યું છે કે, ભારતનો આર્થિક વિકાસ દર આગામી નાણાકીય વર્ષમાં એટલે કે 2023-24માં ઘટીને 6.6 ટકા થઈ જશે. ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં વિકાસ દર 6.9 ટકા રહેવાનો અંદાજ છે. જોકે સાત સૌથી મોટા ઊભરતાં બજારો અને વિકાસશીલ અર્થતંત્રો (EMDEs)માં ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે, તેમ વિશ્વ બેંકે ભારતીય અર્થતંત્ર અંગેના અહેવાલમાં જણાવ્યું હતું. નાણાકીય વર્ષ 2021-22માં આર્થિક વિકાસ દર 8.7 ટકા હતો. નાણાકીય વર્ષ 2024-25માં વિકાસ દર 6.1 ટકા રહેવાનો અંદાજ છે.
વિશ્વ બેંકે તેના તાજેતરના અનુમાનમાં જણાવ્યું છે કે, ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં 6.9 ટકાની ઝડપે વૃદ્ધિ કરશે. 2024-25માં વિકાસ દર 6.1 ટકા રહેવાનો અંદાજ છે. 2021-22માં તે 8.7% હતો. નિવેદન અનુસાર વૈશ્વિક અર્થવ્યવસ્થામાં અનિશ્ચિતતાની અસર નિકાસ અને રોકાણ પર પડશે.
ભારત માટે IMF અંદાજો
જ્યાં વિશ્વ બેંકે વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો છે. ભૂતકાળમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ 2023-24માં ભારતનો આર્થિક વિકાસ દર 6.1 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. અગાઉ તે 6.8 ટકા રહેવાની ધારણા હતી. આ સિવાય IMFએ ચીનના GDP ગ્રોથના અંદાજમાં પણ મોટો ઘટાડો કર્યો છે.
ભારતનો જીડીપી 6.6 ટકા રહેશે
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદી અને વધતી અનિશ્ચિતતાની અસર નિકાસ પર પડશે. સરકારે બિઝનેસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ પર ખર્ચ વધાર્યો છે. જો કે, આ ખાનગી રોકાણને એકત્ર કરવામાં મદદ કરશે અને ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણને સમર્થન આપશે. વિશ્વ બેંકે નાણાકીય વર્ષ 2023-24માં વિકાસ દર ઘટીને 6.6 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. આ પછી, તે છ ટકાથી થોડું ઓછું થઈ શકે છે.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં (એપ્રિલ-સપ્ટેમ્બર) વાર્ષિક ધોરણે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)નો વૃદ્ધિ દર 9.7 ટકા રહ્યો છે. આ ખાનગી વપરાશ અને રોકાણમાં વધારો દર્શાવે છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ-આધારિત ફુગાવો ગયા વર્ષના મોટાભાગના સમય માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના છ ટકાના સહનશીલતા સ્તરથી ઉપર રહ્યો હતો. આ કારણે સેન્ટ્રલ બેંકે મે અને ડિસેમ્બર વચ્ચે કી પોલિસી રેટ રેપોમાં 2.25 ટકાનો વધારો કર્યો છે.
550 અબજ ડોલરની વિદેશી મુદ્રા
શ્વેઇક ઇન્સ્ટિટ્યૂટે જણાવ્યું હતું કે, ભારતે રૂપિયાના ઘટાડાને રોકવા માટે વિનિમય દરની અસ્થિરતાને હેજ કરવા માટે તેના આંતરરાષ્ટ્રીય ભંડારનો ઉપયોગ કર્યો છે. નવેમ્બર 2022માં ભારતનું વિદેશી મુદ્રા $550 બિલિયન અથવા GDPનું 16 ટકા હતું.