અમદાવાદમાં વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. 48 કલાક વિત્યા બાદ પણ હજુ સુધી ધોલેરા પંથકમાં પાણી ઓસર્યા નથી. રસ્તા પર પાણી ભરાવવાના કારણે ભાવનગર તરફ જવાનો રસ્તો બંધ થયો છે. પૂરની પરિસ્થિતિ સર્જાવવાના કારણે ધોલેરા પાસે આવેલ ખુણ ગામ સંપર્ક વિહોણૂં બન્યું છે. 48 કલાક વિત્યા બાદ પણ હજુ સુધી રાહતળાવ, હડાળા, કાદીપૂર ગામમાં પાણી ભરાયા છે. અનેક ઘરોમાં પાણી ઘુસતા લોકો રસ્તા પર રહેવા માટે મજબુર બન્યા છે. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.