અગાઉ ભાજપ ધારાસભ્ય રાજાસિંહે પયગંબર મોહમ્મદ પર વિવાદિત નિવેદન આપ્યા બાદ તેમની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી
ધારાસભ્ય રાજાસિંહની ધરપકડ બાદ પણ હૈદરાબાદમાં તણાવ
AIMIM અસદુદ્દીન ઔવેસીએ કરી શાંતિની અપીલ
શુક્રવારે જુમ્માની નમાઝ પોતાના વિસ્તારમાં જ કરવા અપીલ
તેલંગાણામાં ધારાસભ્ય રાજાસિંહની ધરપકડ બાદ પણ હૈદરાબાદમાં તણાવની સ્થિતિ ઊભી થઈ છે. જેને લઈ હવે AIMIM અસદુદ્દીન ઔવેસીએ શાંતિની અપીલ કરી છે. આ સાથે શુક્રવારે જુમ્માની નમાઝ પોતાના વિસ્તારમાં જ કરવા અપીલ કરી છે. નોંધનિય છે કે, અગાઉ ભાજપ ધારાસભ્ય રાજાસિંહે પયગંબર મોહમ્મદ પર વિવાદિત નિવેદન આપ્યા બાદ તેની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી.
ધારાસભ્ય રાજાસિંહની ધરપકડ બાદ હૈદરાબાદમાં તણાવ
તેલંગાણાના વિવાદાસ્પદ ધારાસભ્ય રાજા સિંહની ધરપકડ બાદ હૈદરાબાદના જૂના શહેરમાં તણાવને જોતા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ દરેકને પોતપોતાના વિસ્તારની મસ્જિદોમાં શુક્રવારની નમાજ અદા કરવાની અપીલ કરી છે.
ઓવૈસીએ દરેકને શુક્રવારની નમાજ પછી મસ્જિદોમાંથી બહાર નીકળતી વખતે કોઈપણ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર ન કરવા જણાવ્યું હતું.
નોંધનિય છે કે, પૈગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણી કરનાર ભાજપના સસ્પેન્ડેડ ધારાસભ્ય ટી રાજાની પોલીસે ગઈકાલે ઘરપકડ કરી છે. હૈદરાબાદમાં હાલના સમયે ટી રાજાના વિવાદિત નિવેદન બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઊભી થઈ છે. ટી રાજાના વકીલ કરુણા સાગરે પણ પોલીસ કાર્યવાહીની પુષ્ટિ કરી હતી.
I also urge all of you to not raise any such slogans after the Friday prayers, which may hamper the country's harmony... Let peace prevail: AIMIM chief Asaduddin Owaisi pic.twitter.com/qettvG1Pj6
નોંધનીય છે કે રાજા સિંહ કોમેડિયન મુનવ્વર ફારુકિનો વિરોધ કરી રહ્યા હતા અને હૈદરાબાદમાં તંત્રની સુરક્ષા હેઠળ ફારુકિએ પોતાનો શૉ કર્યો. જે બાદ ગુસ્સે ભરાયેલા રાજા સિંહે વીડિયો શેર કર્યો અને ફારુકિ પર ટિપ્પણી દરમિયાન પ્રોફેટ પર પણ ટિપ્પણી કરી. જે બાદ વિરોધનો જુવાળ ઊભો થયો.