સુશાંત સિંહ રાજપુતના નિધન બાદ રિયા ચક્રવર્તીએ ખુલાસો કર્યો હતો કે તે એક્ટરની ગર્લફ્રેન્ડ હતી. તેણે કન્ફેસ કર્યુ હતુ કે તે લાંબા સમય સુધી એકબીજા સાથે સંબંધમાં હતા.
સુશાંતની મોત બાદ પણ પ્રેમ પર વિશ્વાસ
રિયા ચક્રવર્તીએ તસવીર કરી શૅર
ઇન્સ્ટાગ્રામ પર તસવીર શૅર કરીને લખ્યો મેસેજ
સુશાંતની મોત બાદ રિયા વિશે ઘણી વાતો કરવામાં આવી હતી. એક્ટરના પરિવારે એવો પણ આરોપ લગાવ્યો હતો કે સુશાંતને આત્મહત્યા કરવા માટે તેણે જ ઉશ્કેર્યો હતો.
એક્ટ્રેસ ડ્રગ્સ એન્ગલમાં પણ ફસાઇ ગઇ હતી અને તેના માટે તેને 1 મહિનો જેલમાં પણ રહેવુ પડ્યુ હતુ. આ બધુ થયુ હોવા છતાં પણ રિયાનો પ્રેમ પરથી ભરોસો નથી ઉઠ્યો. તેની લેટેસ્ટ પોસ્ટ પરથી તે જાણી શકાય છે. રિયાએ એક તસવીર શૅર કરી છે જેમાં તે તેની સાથે કોઇ મહિલા છે અને બંનેની ફોટો શૅર કરીને તેણે કંઇક લખ્યુ છે.
રિયાએ લખ્યું કે પ્રેમ જ તાકાત છે. પ્રેમ એક એવુ કપડુ છે જેનો રંગ ક્યારેય જતો નથી. તેને ગમે તેટલો ધોવામાં આવે.
રિયાને પ્રોડ્યુસરે કહી નાની આર્ટિસ્ટ
મહત્વનુ છે કે રિયા જલ્દી જ ફિલ્મ ચહેરામાં નજર આવશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી લીડ રોલમાં છે. ટ્રેલરમાં તો રિયાની ઝલક દેખાઇ છે પરંતુ ફિલ્મના પોસ્ટર અને ટીઝરમાંથી રિયા ગાયબ હતી આ વિશે જ્યારે ફિલ્મના પ્રોડ્યુસરને પુછવામાં આવ્યુ ત્યારે કહ્યું કે, આ ફિલ્મમાં લીડ એક્ટર્સમાં અમિતાભ અને ઇમરાન હાશ્મી છે. મારુ સંપુર્ણ ફોકસ તે બંને પર જ છે. હું બાકીના સાઇડ એક્ટર્સ પર ફોકસ ન કરી શકુ.
બાદમાં જ્યારે ટીવી કલાકાર ક્રિસ્ટલ ડિસોઝા પોસ્ટર અને ટીઝરમાં બતાવી હોવાનુ પૂછ્યુ ત્યારે તેમણે કહ્યું કે, ક્રિસ્ટલને એટલા માટે ફોકસ મળ્યુ છે કારણકે તે ઇમરાનની લવરના રોલમાં છે.
રિયા પ્રમોશનથી દૂર
મેકર્સે જણાવ્યું કે, ફિલ્મના પ્રમોશનથી રિયાને દૂર રાખવામાં આવી છે પરંતુ ફિલ્મમાં તેનો રોલ હજી પણ છે. હવે રિયા ફિલ્મમાં કયો રોલ પ્લે કરી રહી છે તેના વિશે કોઈ જાણખારી નથી. જોકે, ચોંકાવનારી વાત એ છે કે, અમિતાભથી લઈ ઈમરાન હાશમી ફિલ્મનું પ્રમોશન કરી રહ્યાં છે. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મનું પોસ્ટર અને ટ્રેલર શેર કરી રહ્યાં છે પરંતુ રિયાએ એવું કંઈપણ કર્યું નથી. પણ રિયા મેકર્સના વ્યવહારથી નારાજ હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. પોસ્ટરમાં રિયાને જગ્યા ન મળવા પર તે નારાજ છે.
રિયાનું બોલિવૂડ કરિયર
એક્ટર સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદ રિયાના કરિયરને લઈને ઘણાં સવાલો ઊભા થઈ રહ્યાં છે. તેને કોઈ પ્રોજેક્ટ્સ મળી રહ્યાં નથી અને તે પોતે પણ કોઈ ફિલ્મ સાઈન કરી શકી નથી રહી. સુશાંતની મોત બાદથી તેના કરિયર પર ગ્રહણ લાગી ગયું છે. એક્ટ્રેસે ખુદને આઈસોલેટ કરી દીધી છે. તે મીડિયા લાઈમલાઈટથી દૂર છે.