પીવાનું પાણીએ દરેક જીવ સૃષ્ટી માટે આવશ્યક છે અને તેથીજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં પીવાના પાણીની યોજના મોખરે રહી છે, પરંતુ નર્મદા જીલ્લાના ભુમાલિયા જેવા અનેક ગામો આજે આઝાદીના આટલા વર્ષો પછી પણ પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. વળી ખાટલે મોટી ખોડ એ છે કે, સમગ્ર ગુજરાત અને કચ્છ સુધી સિંચાઈ અને પીવાનું પાણી પહોચાડતી નર્મદા યોજના આ ગામથી માત્ર એક કીલોમીટર દુર છે અને ગામમાં પાણીનીના વલખા મારી રહ્યા છે. જોઈએ વિટીવી ગુજરાતીના આ ખાસ અહેવલમાં.
નર્મદા જીલ્લાના નવનિર્મિત ગરુડેશ્વર તાલુકામાં આવેલું વાગડિયા ભુમાલિયા ગામ આમતો એશિયાની સુધી સૌથી મોટી સિંચાઈ પરિયોજના ગણાતી નર્મદા બંધથી માત્ર 5 કિલોમીટર દુર છે, પરંતુ સરકાર અહીના સ્થાનિકો માટે પીવાના પાણીની યોજના બનાવવાનું ભૂલી ગઈ હોય તેમ અહીના લોકો સૂર્યના પહેલા કિરણની સાથેજ પાણીની ચિંતા કરે છે, કેમકે આ ગામમાં પીવાના પાણી માટે ટાંકી તો બની ગઈ છે, જો કે હજુ સુધી આ ગામમાં ટીપુંય પાણી પીવામાંતે આવ્યું નથી, પરંતુ 3000 લોકોની વસ્તી ધરાવતા આ ગામના ગ્રામજનો માટે પાણીનો મોટો પ્રશ્ન છે,
વાત કરીએ ભુમાલિયા ગામની તો ગામમાં રહેતા ગામ લોકોએ પાણી વચ્ચે રહીને પણ પિવના પાણી માટે ફફા મરવા પડે છે, ગામમાં ટાંકી આવી ગઈ છે, પરંતુ આજે 2015માં બનેલ પાણી પુરવઠા દ્વારા 15લાખના ખર્ચે તાકી બનાવી દેવામાં આવી, જોકે આજ દિન સુધી આ ગામમાં એક પણ ટીપું પાણી નહી, જે ટાંકી પાણી પુર્વઠા વિભાગે બનાવી પણ એ શોભાના ગંઠીયા સમાન બની જતા, લોકોની માંગને પગલે સરકારે કોઇ વ્ય્વ્સ્થા નથી કરી બસ એક નાની ટાંકી મુકી વેઠ ઉતરી છે, પણ આજે ટાંકી બોર હોવા છતા પાણીની વધુ જરુરીયાતને પગલે જુની વાવનુ ગંદુ પાણી પિવુ પડે છે. એ પાણી કેટલુ આરોગ્યપ્રદ છે એ એ જોવા કરતા હાલ તરસ છીપાવવી જરૂરી છે.
ભુમાલિયા ગામ નર્મદા યોજનાથી નજીક આવેલું ગામ છે, સાથે નર્મદા મુખ્ય કેનાલને આડીને આવેલ ગામ છત આહીંયા ૨૦૦૮મા કેનાલો બનાવી પણ આજદિન સુધી પાણી આવ્યુ નથી, આ એક ટીપુ પાણી તો નથી આવ્યુ છત કેનાલને ત્રણથી ચાર વાર રિપેર કરી છતા પાણીનુ એક ટીપુય આવ્યુ નથી, જેથી સ્થાનિકોમાં રોશ ફેલાઇ રહ્યો છે, કેનાલ માટે જમીનો ગુમાવી જેમા કેનાલની બગલમા અવેલ ગામ આજે વરસાદી પાણી પર નભે છે એટલે સરકાર ચોક્કસ સ્થનીકોને પાણી આપવા માટેની યોજના બનાવી નથી એવુ લાગી રહ્યુ છે. સાથે પાણીની માંગ કરી રહ્યા છે.
આઝાદીના આટ આટલા વર્ષો વીત્યા પછી પણ વિકાસની માત્ર વાતોજ કરાય છે, અને સાચા વિકાસ માટે લોકો રાહ જોઈ રહ્યા છે, ત્યારે પ્રજા હવે વિકાસની વાતો નહીં પણ નક્કર વિકાસ ઈચ્છે છે અને દીવા નીચેજ અંધારું હોય તેવા આવા ભુમાલિયા ગામ જેવા કેટલાય ગામોમાં લોકો વિકાસ ઈચ્છી રહ્યા છે, જેને નથી પિવાનુ કે નથી સિંચાઇ નુ પાણી મળતુ નથી કે કોઇ અન્ય વિકાસ જોયો નથી.