ગરુડ પુરાણ અનુસાર વ્યક્તિની આ ખરાબ આદતો માતા લક્ષ્મીને નારાજ કરે છે અને તેને હંમેશા પૈસાની તંગીનો શિકાર બનાવે છે. ચાલો જાણીએ કઈ છે એ આદત..
વ્યક્તિની આ ખરાબ આદતો માતા લક્ષ્મીને નારાજ કરે છે
આ આદતોથી મા લક્ષ્મી થાય છે નારાજ
ગરુડ પુરાણમાં આ આદતો જણાવવામાં આવી છે
આપણા હિંદુ ધર્મમાં મહાપુરાણ ગણાતા ગરુડ પુરાણમાં આવી ઘણી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને અનુસરીને ઘરમાં અપાર સુખ-સમૃદ્ધિ બની રહે છે. આ સાથે કેટલીક એવી આદતો પણ જણાવવામાં આવી છે, જેનાથી હંમેશા દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. ગરુડ પુરાણ અનુસાર વ્યક્તિની આ ખરાબ આદતો માતા લક્ષ્મીને નારાજ કરે છે અને તેને હંમેશા પૈસાની તંગીનો શિકાર બનાવે છે. ચાલો જાણીએ એવા ક્યા કામ છે, જેને કરવાથી મા લક્ષ્મી ગુસ્સે થાય છે.
આ આદતોથી મા લક્ષ્મી થાય છે નારાજ
કડવા શબ્દો
એવા લોકો જે બીજાને કડવું બોલે છે, તેઓને મા લક્ષ્મી ક્યારેય પસંદ નથી કરતી. ધનની દેવી માતા લક્ષ્મી એવા લોકો પર ક્યારેય દયા નથી બતાવતી જેઓ ખરાબ બોલે છે અથવા કડવું બોલે છે. એટલા માટે હંમેશા નમ્ર બનો અને નાના-મોટા દરેક સાથે આદરપૂર્વક વર્તન કરો.
ગંદા કપડા પહેરનારા લોકો
જે લોકો ગંદા કપડા પહેરે છે અને ગંદકીમાં રહે છે તેમના પર માતા લક્ષ્મી હંમેશા નારાજ રહે છે. આવા લોકોના જીવનમાં ક્યારેય સફળતા નથી મેળવી શકતા. તેઓ ગમે તેટલી મહેનત કરે તો પણ જીવનમાં સુખ અને સમૃદ્ધિ નથી આવતી. આ લોકોને માતા લક્ષ્મી ક્યારેય આશીર્વાદ આપતા નથી. એટલા માટે તમારે દરરોજ સ્નાન કરવું જોઈએ, તમારી આસપાસની જગ્યા સાફ રાખવી જોઈએ અને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ.
જે લોકો મોડેથી ઊંઘે છે
જે લોકો સૂર્યોદય પછી પણ સૂતા રહે છે, તેઓ જીવનમાં ક્યારેય સુખ, સફળતા, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યનો આનંદ લઈ શકતા નથી. આવા લોકો પોતાનું જીવન દુઃખ અને ગરીબીમાં વિતાવે છે. એ જ રીતે જે લોકો સૂર્યાસ્તના સમયે સૂઈ જાય છે તેમના પર માતા લક્ષ્મી પણ ક્રોધિત હોય છે. તે ક્યારેય એવા ઘરોમાં રહેતી નથી, જ્યાં લોકો સાંજે સૂઈ જાય છે કારણ કે આ સમય ઘરમાં મા લક્ષ્મીના આગમનનો છે.