ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ ODI સીરિઝની પ્રથમ મેચ 25 નવેમ્બરે રમાશે.એવામાં કેપ્ટન શિખર ધવન બે વિકેટકીપરમાંથી કોને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરશે?
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ ODI સીરિઝની પ્રથમ મેચ 25 નવેમ્બરે રમાશે
ઋષભ પંત અને સંજુ સેમસન બંનેને વનડે સીરિઝ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી
શિખર ધવન બે વિકેટકીપરમાંથી કોને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરશે?
હાલ ટીમ ઈન્ડિયા ઘણું સારું પરફોર્મ કરી રહી છે અને ન્યુઝીલેન્ડ સામેની ટી-20 સીરિઝ જીતીને એક કમાલ તો કરી બતાવ્યો છે એવામાં આવતીકાલે ઑકલેન્ડમાં પહેલા વનડે મેચમાં પણ જો ખેલાડીઓ આ જ ફોર્મમાં રહ્યા તો એ સીરિઝમાં પણ ટીમ ઈન્ડિયાની જીત પાકી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ ODI સીરિઝની પ્રથમ મેચ 25 નવેમ્બરે રમાશે. એવામાં ઋષભ પંત અને સંજુ સેમસન બંનેને વનડે સીરિઝ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે અને આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે કેપ્ટન શિખર ધવન બે વિકેટકીપરમાંથી કોને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરશે?
પંત રહ્યો ફ્લોપ
જો કે આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા કેટલાક સમયથી ઋષભ પંત પોતાના નામ પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી ઉપરાંત તે T20 વર્લ્ડ કપ 2022માં સારું પ્રદર્શન કરી શક્યો નહતો. એ પછી ન્યુઝીલેન્ડ સામે ટી-20 મેચમાં ઓપનિંગ કરતાં સમયે પણ પંત રન બનાવવામાં ખરાબ રીતે નિષ્ફળ સાબિત થયો હતો અને એવામાં ટીમમાં તેના સ્થાનને લઈને ઘણા પર સવાલો ઉઠી રહ્યા છે.
ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે પંત
આપણે બધા જાણીએ છીએ કે ઋષભ પંત લાંબા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે અને રન બનાવવાનું તો દૂર પણ ક્રિઝ પર ટકી રહેવા માટે પણ સંઘર્ષ કરી રહ્યો છે. જણાવી દઈએ કે પંત તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં અત્યાર સુધી માત્ર 3 અડધી સદી ફટકારી શક્યો છે. અને તેને ટીમ ઈન્ડિયા માટે 66 ટી20 મેચમાં 987 રન અને 27 વનડેમાં 840 રન બનાવ્યા છે. જો કે આ બધા ઉપરાંત ટીમ ઈન્ડિયા તેની પાસેથી મોટી ઈનિંગની અપેક્ષા રાખે છે પણ પંત આ ઉમ્મીદને અધૂરી રાખીને અધવચ્ચે પેવેલિયન પરત ફરે છે. આવી સ્થિતિમાં આવનાર મેચમાં કેપ્ટન શિખર ધવન તેને પ્રથમ વનડેથી બહાર રાખી શકે છે.
આ ખેલાડીને મળી શકે છે તક
સિલેક્ટર્સ એ રિષભ પંતને જેટલી તકો આપી છે એટલી તક સંજુ સેમસનને નથી મળી. પણ ખાસ વાત એ છે એ તે સંજુ હાલ ખૂબ જ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે અને તે કોઈપણ બોલિંગમાં રન બનાવવા માટે સક્ષમ છે. આપણએ બધા જાણીએ છીએ કે તેણે ટીમ ઈન્ડિયાની લાર સુધી પંહોચવા આવે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે. આ સાથે જ તેની વિકેટકીપિંગ કુશળતા પણ અદભૂત છે. સંજુ સેમસને ટીમ ઈન્ડિયા માટે 10 વનડેમાં 294 રન બનાવ્યા છે.