અનેક લોકો માને છે કે વેક્સીન લગાવી લીધા બાદ હવે તેમને કંઈ થશે નહીં તો આ મોટી ભૂલ છે. વેક્સીન લીધા બાદ પણ નિયમોનું પાલન નહીં કરો તો સંક્રમિત થશો.
વેક્સીનના બંને ડોઝ લીધા બાદ પણ સાવધાની જરૂરી
બીમારીની ગંભીરતા અને મોતના ખતરાને ઘટાડે છે વેક્સીન
સંક્રમણથી બચવા માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન જરૂરી
કોરોના મહામારીને ખતમ કરવા માટે એકમાત્ર અને સૌથી કારગર રીત છે વેક્સીન લેવી. વેક્સીન એ વાતની ગેરેંટી નથી કે તમને કોરોના સંક્રમણ થશે નહીં. વેક્સીન લીધા બાદ પણ લોકોને કોરોના સંક્રમણ થઈ રહ્યું છે. વેક્સીન બાદ કોરોના સંક્રમિત થવાની શક્યતા ઓછી રહે છે પણ એવું નથી કે કોરોના થશે જ નબીં. આ માટે તમારે કેટલાક નિયમોનું પાલન કરવું આવશ્યક છે.
વેક્સીન લીધા બાદ પણ રહે છે ઈન્ફેક્શનની શક્યતા
તેમાં કોઈ શંકા નથી કે વેક્સીન લીધા બાદ કોરોના વાયરસની ગંભીરતા અને મોતના ખતરાને ઓછો કરી શકાય છે પણ વેક્સીન બીમારી ફેલાવવાને અને ઈન્ફેક્શનની રોકી શકે છે. તેના કોઈ ખાસ સબૂત મળ્યા નથી. એક રિપોર્ટ અનુસાર વેક્સીન લગાવી લીધા બાદ રખાતી બેદરકારીના કારણે કોરોનાથી સંક્રમિત થવાનો ખતરો રહે છે. એવામાં વેક્સીનની મદદથી કમ્યુનિટી લેવલે ઇન્ફેક્શન ફેલાવવાન દર ઘટાડવામાં મદદ મળે છે. પણ સાવધાની જરૂરી છે.
વેક્સીન લીધા બાદ ન કરો આ ભૂલ
યોગ્ય રીતે માસ્ક ન પહેરવું
અનેક લોકોને લાગે છે કે વેક્સીન લીધા બાદ તેઓ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને તેઓએ માસ્ક પહેરવાની કોઈ જરૂર નથી, એવા વ્યક્તિ તેમાંની વેક્સીનના 2 ડોઝ લીધાની સ્થિતિમાં માસ્ક ઉતારી શકે છે. યાદ રાખો કે સંક્રમણથી બચવા માટે વેક્સીન લીધા બાદ પણ સારી રીતે માસ્ક પહેરવું જરૂરી છે.
સાવધાની વિના યાત્રા કરવું
વેક્સીન લીધા બાદ તમે મુસાફરી કરી શકો છો પણ આ સમયે પણ તમારી સાવધાની રાખવાની જરૂર છે જ્યાં સુધી દુનિયામાં મોટી સંખ્યામાં વેક્સીન લગાવી લેવાતી નથી ત્યાં સુધી બિન જરૂરી યાત્રા ન કરો. યાત્રા કરવી જરૂરી છે તો સાવધાની સાથે કરો. નાની બેદરકારી પણ કોરોના સંક્રમિત કરી શકે છે.
સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરવું
જો તમે વેક્સીનના બંને ડોઝ લઈ લીધા છે તો પણ તમારે કોરોના વાળા વિસ્તારોમાં જવાથી બચવું જોઈએ, તેનું કારણ એ છે કે વેક્સીન લાગ્યા બાદ પણ દરેક લોકો ઈમ્યુન સિસ્ટમ એક રીતે કામ કરતી નથી, માટે ઘરની બહાર જરૂર વિના જવું નહીં. ખાસ કરીને એવા વૃદ્ધ વ્યક્તિઓ જેમને પહેલાંથી કોઈ બીમારી છે.