ઝિમ્બાબ્વે સામેની મેચમાં ઋષભ પંત માત્ર 3 રન બનાવીને પવેલીયન પરત ફર્યો હતો, આ વિશે કોચ દ્રવિડે કહ્યું કઇંક આવું.
ઝિમ્બાબ્વે સામેની મેચમાં ઋષભ પંતને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી હતી
ઋષભ પંત માત્ર 3 રન બનાવીને પવેલીયન પરત ફર્યો હતો
કોચ દ્રવિડે આ વિશે કહ્યું કઇંક આવું
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે સુપર-12 ના ગ્રુપ-2 ની આ છેલ્લી મેચમાં ભારતનો વિજય થયો હતો. T20 વર્લ્ડ કપની ગઇકાલની મેચમાં ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને 71 રને હરાવ્યું હતું અને આ સાથે ટીમ ઈન્ડિયા તેના ગ્રુપમાં ટોપર બની ગઈ હતી. હવે સેમિફાઇનલની મેચમાં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે મેચ રમશે. જો કે ગઇકાલે ઝિમ્બાબ્વે સામે રમાયેલી મેચમાં વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા પછી ઘણા સવાલો ઉભા થયા હતા. જણાવી દઈએ કે ઋષભ પંત આ મેચમાં ફ્લોપ સાબિત થયો હતો અને માત્ર 3 રન બનાવીને પવેલીયન પરત ફર્યો હતો. T20 વર્લ્ડ કપની એકમાત્ર આ મેચ હતી જેમાં ભારત માટે વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો.
ફ્લોપ ઋષભ પંતને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં કેમ આપી જગ્યા?
આ પહેલા T20 વર્લ્ડ કપમાં વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને ભારતની 4 મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો પણ રવિવારે ઝિમ્બાબ્વે સામે રમાયેલી મેચમાં તેના બદલે ઋષભ પંતને જગ્યા આપવામાં આવી હતી. ભલે એ મેચમાં ટીમ ઈન્ડિયાએ 71 રનથી જીત મેળવી હતી પણ તેના કરતાં વધુ ઋષભ પંતની ફ્લોપ બેટિંગે ચર્ચાઓ ચાલી રહી છે.
કોચ દ્રવિડે આ વિશે કહ્યું કઇંક આવું
ગઇકાલની મેચમાં દિનેશ કાર્તિકની જગ્યાએ અચાનક ઋષભ પંતને પ્લેઈંગ ઈલેવનમાં જોઈને દરેક લોકો ચોંકી ગયા હતા. ક્રિકેટના દરેક ફેન્સ વિચારી રહ્યા હતા કે કેમ દિનેશની જગ્યા એ ઋષભ પંતને પસંદ કરવામાં આવ્યો. આ વિશે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે વાત કરતાં જણાવ્યું હતું કે ' અમે ઇચ્છતા હતા કે રવિવારે ઝિમ્બાબ્વે સામે રમાયેલી મેચમાં વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકની જગ્યાએ ઋષભ પંતને પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવે. ટીમના દરેક ખેલાડી સિલેક્શન માટે હાજર છે અને અમે અમારા બધા ઓપ્શન જોવા માંગતા હતા. અમે ઇચ્છતા હતા કે ઋષભ પંતને પણ તક મળે કારણકે અમારા મત મુજબ એ મહત્વનું હતું. ભલે તે મેચ ચૂકી ગયા છે પણ તેનો અર્થ એ નથી કે અમે તેને તક નહીં આપીએ.'