કૃષિ કાયદાને લઈને સરકાર અને ખેડૂત સામસામે તેમના વલણ પર અડગ છે. સરકારે આજની બેઠકમાં સ્પષ્ટ કરી દીધું હતું કે કૃષિ કાયદા કોઈ પણ કિંમતે પરત નહીં લેવાય, તે જ સમયે, ખેડૂતો ત્રણેય કૃષિ કાયદાને રદ્દ કરાવવા માટે અડગ છે.
સરકાર અને ખેડૂતો વચ્ચેની વાતચીત અનિર્ણાયક રહી
બંને પક્ષો પોતપોતાના વલણ ઉપર અડગ
આગામી બેઠક 15મી જાન્યુઆરીએ થશે
આજે 8મી જાન્યુઆરીએ સરકાર અને ખેડૂતો વચ્ચે 9 માં રાઉન્ડની વાતચીત યોજાઇ હતી, જો કે અગાઉની બેઠકોની જેમ આજની બેઠક પણ અનિર્ણિત રહી હતી. બંને પક્ષો પોતપોતાના વલણપર અડગ છે. જો કે બંને પક્ષોએ સહમતિથી 15 મી જાન્યુઆરીએ આગળના રાઉન્ડની બેઠક કરવા માટે હામી ભરી છે, પરંતુ હવે સૂત્રોએ એક નવી માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આજની બેઠકમાં સરકારે ખેડૂતોને કહ્યું હતું કે જો સુપ્રીમ કોર્ટ હવે નિર્ણય લેશે તો તે વધુ સારું છે. સરકાર અને ખેડૂતો વચ્ચે અત્યાર સુધીમાં અનેક તબક્કાની વાટાઘાટો થઈ છે, પરંતુ તે તમામ તબક્કા નિરર્થક રહ્યા છે. એટલે કોઈ જ વિકલ્પ ન રહેતા આખરે સરકારે આ વાત કરી હોવાનું મનાય છે.
સરકાર અને ખેડૂતો બંને તેમના વલણ પર અડગ
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે જ્યાં સુધી ત્રણ કૃષિ કાયદા પાછા નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. અમે 15 મી જાન્યુઆરીએ ફરી બેઠક માટે આવીશું. અમે ક્યાંય જતા નથી, એટલે રાકેશ ટીકૈતે કહ્યું કે સરકાર સુધારો કરવા માંગે છે પરંતુ અમારી એક જ માંગ છે કે સરકાર ત્રણેય કાયદાને પાછો ખેંચે.તે જ સમયે, કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે આપણે લોકશાહી દેશના નાગરિક છીએ. આપણા લોકશાહીમાં, જો રાજ્યસભા અને લોકસભા દ્વારા કોઈ કાયદો પસાર કરવામાં આવે છે, તો સુપ્રીમ કોર્ટને તેનું વિશ્લેષણ કરવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટમાં તેના પર સુનાવણી પણ ચાલી રહી છે.
નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે આજની બેઠકમાં કૃષિ કાયદા અંગે ચર્ચા કરવામાં આવી હતી પરંતુ કોઈ નિર્ણય લઈ શકાયો નથી. સરકારે વિનંતી કરી કે જો ખેડૂત સંગઠન ત્રણ કૃષિ કાયદાને રદ કરવા સિવાય કોઇ વિકલ્પ આપે છે, તો અમે તેનો વિચાર કરીશું, પરંતુ કોઈ વિકલ્પ રજૂ કરી શકાય તેમ નથી. કૃષિ મંત્રીએ કહ્યું કે આજની બેઠકનું સમાપન થયું છે અને આગામી મીટિંગ 15 જાન્યુઆરીએ યોજવાનું નક્કી કરાયું છે.
આજની મીટિંગમાં શું બન્યું ?
આજની સરકાર સાથેની બેઠકમાં ખેડૂત નેતા બલવંતસિંહે એક નોંધ લખી હતી. તેમણે લખ્યું કે તે કાં જીતીશું અથવા મરી જઈશું. કૃષિ મંત્રીએ કહ્યું કે ખેડૂત નેતાઓએ દેશના હિતમાં આંદોલન પાછું ખેંચવું જોઈએ. બેઠકમાં સરકારે પણ સ્પષ્ટ કર્યું હતું કે તે કાયદો પાછો ખેંચી લેશે નહીં. તે જ સમયે, ખેડૂતોએ કહ્યું કે તેઓ કાયદો રદ્દ કરવા ઇચ્છ છે. તેનાથી ઓછું કઈં પણ મંજૂર નથી.
કિસાન મજૂર સંઘર્ષ સમિતિ, પંજાબના અધ્યક્ષ સત્નામસિંહ પન્નુએ જણાવ્યું હતું કે આજની બેઠક અનિર્ણિત હતી. અમને કાયદામાં સંશોધન નથી જોઈતા, મામલો આના પર અટકી રહ્યો MSP અંગે કોઈ ચર્ચા થઈ નથી. આજે આપણે લંગર પણ નથી ખાધું કે ચા પણ પીધી નથી. અમે શાંત બેસી રહ્યા હતા. મહત્વનું છે કે આજે પણ ખેડૂતોએ સરકારી લંચ લીધું નહોતું.