વાવાઝોડાને 90 દિવસ બાદ પણ ગીર સોમનાથ, ગીર ગઢડા, કોડીનાર, ઝાફરાબાદ, સહિતના વાડી વિસ્તારમાં હજુ પણ વીજ પુરવઠો ખોરવાયેલો જોવા મળે છે
ખેડૂતો વીજળી વિના પરેશાન
વાવાડી અને ગ્રામ્ય વિસ્તારમાં વીજળીગુલ
ગીર ગઢડા, ઉનામાં ખેડૂતો પરેશાન
તૌકતે વાવાઝાડામાં સૌથી વધુ અસર વીજ પુરવઠા વિભાગને થઈ હતી પરતું હવે વાવાઝોડાને 90 દિવસ પુરા થવા આવ્યા છે છતા પણ ગીર સોમનાથ, ગીર ગઢડા, કોડીનાર, ઝાફરાબાદ, સહિતના વાડી વિસ્તારમાં હજુ પણ વીજ પુરવઠો ખોરવાયેલો જોવા મળે છે જેને લઈ ખેડૂતો અને ગ્રામજનો હાલાકી ભોગવી પડી રહી છે.
તૌકતેની તબાહીના 3 મહિના પછી પણ પરેશાની
તૌકતે વાવાઝોડાને 90 દિવસ વીત્યા બાદ પણ ગીર સોમનાથના ગીર ગઢડા અને ઉનાના ખેતી વાડી વિસ્તારો વીજળી વિહોણા જોવા મળે છે વીજળી ન હોવાના કારણે ઉના અને ગીર ગઢડાના ખેતીવાડી વિસ્તારોમાં હજુ પણ વીજ પૂરવઠો શરૂ કરાયો નથી. આજે પણ ખેડૂતોના ખેતરોમાં વીજ પોલ અને ટર્સફોર્મરો જમીન દોસ્ત થયેલા નજરે પડે છે સવાલ એ છે કે આખરે ખેડૂતોને વીજળી ક્યારે મળશે અનેક ખેડૂતો જનરેટર લાવી પોતાના પાક ને બચાવવા જહેમત કરી રહ્યા છે તો બીજી તરફ પશુઓ ને ચારો અને પાણી આપવું મુશ્કેલ બન્યું છે
વાડી અને ગ્રામ્ય વિસ્તારમાં વીજપુરવઠો ઠપ
કોડીનારથી લય જાફરાબાદ સુધી ચારે તરફ વાવાઝોડાએ તબાહી જ તબાહી સર્જી હતી કોડીનારથી જાફરાબાદ સુધીના ગામોમાં અંધાર પટ છવાયો હતો જો કે વીજ વિભાગની ટીમોની રાત દિવસની મહેનતનાં કારણે ગામોને વીજળી મળી ગઈ પરંતુ પશુ પાલકો અને ખેડૂતો માટે હજુ પણ વીજળી ઉપલબ્ધ થઈ નથી. ત્યારે ખેડૂતો જનરેટર દ્વારા ખેતરોમાં પાકનું સિંચાઈ કરી રહ્યા છે.
જનરેટરનો ખર્ચ કરવા મજબૂર ખેડૂતો
ધરાસાય થયેલા પોલો ની સંખ્યાને લઈને અંદાજો લગાવી શકાય કે ખેતી વાડીની વીજળી ક્યારે શરૂ થશે હાલ તો ખેડૂતો પોતાના પશુઓ ને બચાવવા કુવામાંથી સિંચી પાણી આપી રહ્યા છે પરંતુ હવે પાક ને કેમ બચાવવો તે મોટો સવાલ છે ગ્રામ્ય અને વાડી વિસ્તાર ના 60 હજાર પોલ અને 11 હજાર ટ્રાસફોર્મર ધરાસાય થયા છે જ્યોતિગ્રામ શરૂ કરી દીધી છે હવે વાડી વિસ્તાર છે લગભગ 10 હજાર થી વધારે પૉલ ઉભા કરવાના છે જો કે ક્યારે કામ પૂર્ણ થશે તે કહેવું હાલ અઘરું છે