નાગરિકતા સંશોધન કાયદો (CAA)ની વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાના રિપોર્ટને લઈને ભારતે મોટી પ્રતિક્રિયા આપી છે. ભારતનું કહેવું છે કે આ અમારો આંતરિક મુદ્દો છે. ભારતમાં નાગરિક્તા કાયદાની વિરુદ્ધ થઈ રહ્યાં છે પ્રદર્શનો.
CAA અમારો આંતરિક મામલો છે
CAA અને જમ્મુની વિરુદ્ધ યુરોપિયન સાંસદમાં પ્રસ્તાવ અને મતદાન
ભારતે કહ્યું આંતરિક મુદ્દે કોઈને દખલ દેવા નહી દઈએ
ભારતે આ મુદ્દે આકરી પ્રતિક્રિયા આપી
CAA અને જમ્મુ - કાશ્મીર પર યુરોપિયન સંસદમાં પ્રસ્તાવ પર 29 જાન્યુઆરીએ પ્રસ્તાવ રજુ કરવામાં આવશે. 30 જાન્યુારીએ વોટિંગ થશે. નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ પ્રસ્તાવ રજુ કરવાનાં રિપોર્ટ પર ભારતે સખત પ્રતિક્રયા આપી છે. ભારતે યુરોપીનય સંઘ(EU)ને કહ્યું છે કે આ અમારો આંતરિક મુદ્દો છે. આ કાયદાને સંસદમાં સાર્વજનિક ચર્ચા બાદ યોગ્ય પ્રક્રિયા અને લોકતાંત્રિક માધ્યમો દ્વારા અપનાવવામાં આવ્યો છે. ભારતે કહ્યું કે, આ બન્ને મુદ્દા અમારા આંતરિક હોવાથી અમે કોઈને પણ તેમાં દખલ દેવાની મંજુરી નથી આપી રહ્યાં. આ પ્રસ્તાવને આગળ વધારતા પહેલા પ્રસ્તાવક અમારો સંપર્ક કરશે અને પુરી જાણકારી લેશે.
યુનિયન સાંસદમાં પ્રસ્તાવ રજૂ કર્યા બાદ થશે મતદાન
ભારતે યુરોપિયન સંસદ તરફથી CAAની વિરુદ્ધ તૈયાર કરવામાં આવેલા પ્રસ્તાવ સામે વાંધો ઉઠાવ્યો છે. ઉલ્લેખનીય છે કે યુરોપિયન સંસદનાં કેટલાક સભ્યોએ નાગરિક્તા કાયદાની વિરુદ્ધ પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જે 29 જાન્યુારીએ યુરોપિયન સાંસદમાં રજુ કરવામાં આવશે અને 30 જાન્યુઆરીએ તેનાં પર મતદાન થશે.
626 સાંસદ કુલ 6 પ્રસ્તાવ CAA અને જમ્મુ કાશ્મીરના સંબંધમાં લઈને આવ્યાં છે
યુરોપિયન સાંસદમાં 751 સાંસદોમાંથી 626 સાંસદ કુલ 6 પ્રસ્તાવ CAA અને જમ્મુ કાશ્મીરના સંબંધમાં લઈને આવ્યાં છે. ભારતનાં નાગરિક્તા કાયદા પર યુરોપિયન યુનિયનના સાંસદોએ ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે કાયદાનાં માધ્યમથી મોટા સ્તર પર લોકોની નાગરિક્તા છીનવી શકાય એમ છે. જેનાં કારણે કેટલાય લોકો રાજ્યવિહીન થઈ જશે.
ભારતે કહ્યું, ‘યુરોપિયન સાંસદે કોઈ કાર્યવાહી ન કરવી જોઈએ’
ભારત સરકાર સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે એક લોકતાંત્રિક દેશ હોવાને કારણે યુરોપીન સંઘના ભારતીય લોકતંત્રનાં આંતરિક મુદ્દામાં દખલ ન આપવી જોઈએ. ભારતની સરકાર એક લોકતાંત્રિક પ્રક્રિયાથી પસંદ કરવામાં આવી છે. આ સ્થિતિમાં ભારતીય સાંસદનાં નિર્ણયની વિરુદ્ધ કોઈ પણ પ્રસ્તાવ પર યુરોપિયન સાંસદે કોઈ કાર્યવાહી ન કરવી જોઈએ.
કેમ ચિંતિત છે યુરોપિયન સંઘ?
આ દસ્તાવેજોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ કાયદાને કારણે નાગરિક્તાને લઈને મોટું સંકટ ઉદ્ભવી શકે છે. જેનું કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ડ્રાફ્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નાગરિક્તા નક્કી કરવાની રીત બહું ખતરનાર રીતે લાગુ કરવામાં આવી છે. જેનાં કારણે એક મોટી સંખ્યામાં માનવીય વેદનાં ઉપજી શકે છે. આ પ્રસ્તાવમાં કાશ્મીરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જમ્મુ- કાશ્મીર પરનાં ભારતનાં નિર્ણયની નિંદા કરવામાં આવી છે. પ્રસ્તાવમાં ભારત અને પાકિસ્તાન પાસે અપીલ કરવામાં આવી છે કે સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સી (UNHCR) તરફથી પ્રસ્તાવનાં પ્રાવધાનો પર બન્ને દેશો ચિંતન કરે.