નાગરિકતા સંશોધન કાયદા(CAA)ના મુદ્દા પર તેમનાં યુરોપિયન સંઘના સાંસદ સભ્યો અને તેના પર મતદાનની પ્રક્રિયાને લઈને યુરોપિયન સાંસદે પોતાને તેનાથી અલગ કરી નાંખી છે. EU નાં પ્રવક્તાએ કહ્યું કે યુરોપિયન સાંસદ અને તેમનાં સભ્યો દ્વારા વ્યક્ત કરવામાં આવેલા મુદ્દા‘યુરોપિયન સંઘ’નાં અધિકારમાં નથી.
યુરોપિયન સંઘનાં સાંસદો ભારતનાં આંતરિક મુદ્દા પર કરવા માંગતા હતાં ચર્ચા
યુરોપીયન સંઘે ભારતના આ નિર્ણયોને આંતરિક મુદ્દો ગણાવ્યો
ભારત 15માં શિખર સમ્મેલનનું હોસ્ટિંગ કરશે
ફ્રાંસીસી રાજકીય સૂત્રોનાં જણાવ્યાંનુસાર ફ્રાંસ નવા નાગરિક્તા કાયદાને ભારતનો આંતરિક રાજનીતિક મુદ્દો માને છે. યુરોપિયન સાંસદ એક સંસ્થા છે જે સદસ્ય રાજ્યોથી સ્વતંત્ર છે.
યુરોપિય સંસદમાં વિભિન્ન રાજનીતિક સમુહો દ્વારા બનાવવામાં આવેલો ડ્રાફ્ટ
એક ન્યૂઝ પેપરનાં રિપોર્ટ મુજબ એક ઈમેલનાં જવાબમાં વિદેશી મુદ્દાઓ અને સુરક્ષા નીતિ માટે યુરોપિય સંઘના પ્રવક્તા વર્જિની બટ્ટુ- હેનરિકસને કહ્યું કે ‘યુરોપિય સાંસદ વર્તમાનમાં ભારત સરકાર દ્વારા અપનાવવામાં આવેલા કાયદા પર એક ચર્ચાનું આયોજન કરવા જઈ રહી છે. ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય વર્તમાનનાં આ કાયદાની આકરણી કરી રહી છે. એક પ્રક્રિયામાં જણાવ્યાનું સાર યુરોપિય સંસદે ડ્રાફ્ટને પ્રકાશિત કર્યો છે. એ યાદ રાખવું જરુરી છે કે આ ફક્ત યુરોપિય સંસદમાં વિભિન્ન રાજનીતિક સમુહો દ્વારા બનાવવામાં આવેલો ડ્રાફ્ટ છે.
ભારત 15માં શિખર સમ્મેલનનું હોસ્ટિંગ કરશે
તેમણે એમ પણ જણાવ્યું છે કે, ‘હું તમને યાદ કરાવી દઉ કે યુરોપિયન સાંસદ અને તેમનાં સભ્યો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી સલાહનું યુરોપિયન સંઘ સત્તાવાર રીતે પ્રતિનિધિત્વ નથી કરી રહ્યું. EU ભારતની સાથે પોતાના રાજનીતિક ભાગીદારી મજબૂત કરવા માટે બ્રસેલ્સમાં 13 માર્ચ 2020માં ભારત સાથે 15માં શિખર સમ્મેલનનું હોસ્ટિંગ કરાવશે. ભારત યુરોપિયન સંઘ માટે વૈશ્વિક પડકારોમા સમાધાન કરવા અને બહુપક્ષીય વ્યવસ્થાનાં નિયમોને સંયુક્ત રુપે વધારવા માટે એક મહત્વનાં ભાગીદાર છે.
શું હતો મામલો
યુરોપિયન સાંસદમાં 751 સાંસદોમાંથી 626 સાંસદ કુલ 6 પ્રસ્તાવ CAA અને જમ્મુ કાશ્મીરના સંબંધમાં લઈને આવ્યાં છે. ભારતનાં નાગરિક્તા કાયદા પર યુરોપિયન યુનિયનના સાંસદોએ ચિંતા વ્યક્ત કરી હતી. જેને પગલે તેઓ EUમાં પ્રસ્તાવ મુક્યો હતો. તેના પર મતદાન કરવાનાં છે. તેમનું કહેવું છે કે કાયદાનાં માધ્યમથી મોટા સ્તર પર લોકોની નાગરિક્તા છીનવી શકાય એમ છે. જેનાં કારણે કેટલાય લોકો રાજ્યવિહીન થઈ જશે.