WHOના વીકલી રિપોર્ટ મુજબ ગત અઠવાડિયે દુનિયાભરમાં કોરોનાના નવા મામલામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.
ગત અઠવાડિયે દુનિયાભરમાં કોરોનાના નવા મામલામાં મોટો ઉછાળો
સૌથી વધારે મામલા બ્રાઝિલ, ભારત, ઈન્ડોનેશિયા અને બ્રિટનથી
કોવિડ 19 વધારે સંક્રમક રુપ લઈ શકે
ગત અઠવાડિયે દુનિયાભરમાં કોરોનાના નવા મામલામાં મોટો ઉછાળો
કોરોના સંક્રમણે એક વાર ફરી ડરાવવાનું શરુ કર્યુ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વીકલી રિપોર્ટ મુજબ ગત અઠવાડિયે દુનિયાભરમાં કોરોનાના નવા મામલામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. WHOએ કહ્યું કે 9 અઠવાડિયે કોવિડ 19ના કેસમાં ઘટાડા બાદ ગત અઠવાડિયામાં દુનિયામાં કોરોના વાયરસના લગભગ 30 લાખ મામલા આવ્યા છે અને મોતના મામલામાં 3 ટકાનો વધારો નોંધાયો છે. આ રીતે ગત અઠવાડિયાનું સંક્રમણના મામલામાં 10 ટકાનો વધારો થયો છે. આ દરમિયાન 55 હજારથી વધારે મોત થયા છે.
સૌથી વધારે મામલા બ્રાઝિલ, ભારત, ઈન્ડોનેશિયા અને બ્રિટનથી
WHOએ બુધવારે પોતાના અઠવાડિયાના રિપોર્ટમાં કહ્યું છે કે સૌથી વધારે બ્રાઝિલ, ભારત, ઈન્ડોનેશિયા અને બ્રિટનથી સંક્રમણના મામલા આવ્યા છે. WHOએ કહ્યું કે ભારતમાં સૌથી પહેલા મળેલ ડેલ્ટા વેરિએન્ટ 111 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે.
બ્રાઝિલ બાદ ભારતમાં સૌથી વધારે મામલા
WHOના જણાવ્યાનુંસાર 5 જુલાઈથી 11 જુલાઈની વચ્ચે સૌથી વધારે મામલા બ્રાઝિલ બાદ ભારતમાં સામે આવ્યા. આ દરમિયાન બ્રાઝિલમાં 3.33 લાખ નવા મામલા સામે આવ્યા. ત્યારે ભારતમાં 2.91 લાખથી વધારે કેસ મળ્યા. જો કે ભારત માટે રાહતની વાત એ છે કે નવા મામલા ગત અઠવાડિયાની સરખામણીએ 7 ટકા ઓછા હતા.
કોવિડ 19 વધારે સંક્રમક રુપ લઈ શકે
WHOએ કહ્યું કે આગળ કોવિડ 19 વધારે સંક્રમક રુપ લઈ શકે છે અને સામાજિક અંતર, અન્ય નિયમોનું પાલન ન કરવા પર અનેક દેશોમાં વધારે મામલા આવવા અને હોસ્પિટલમાં દર્દીઓ અને મોતની સંખ્યા વધવાની આશંકા છે.
WHOએ માન્યુ કે અનેક દેશોમાં હવે કોરોનાના સંબંધિત પ્રતિબંધો ખતમ કરવાના દબાણનો સામનો કરી રહ્યા છીએ. પરંતુ ચેતવણી આપી છે કે ભીડભાડ અને પ્રવાસ દરમિયાન સંક્રમણના પ્રસારના ખોટા આકલનથી વાયરસ ફેલાવાનું સંકટ વધી રહ્યું છે.