ઘરમાં લગ્ન હોય કે બાળક અવતર્યુ હોય ત્યારે કિન્નરો આવે છે અને મંગળ ગીત ગાય છે. બાળકને આશીર્વાદ આપી દક્ષિણા લઇને જતાં રહે છે પરંતુ શું તમે જાણો છો કિન્નરનો આશીર્વાદ મળી જાય તો તમારી સૂતેલી કિસ્મત ચમકી જશે.
જ્યોતિષશાસ્ત્રમાં પણ કિન્નરોને લઇને ઘણી વાતો કહેવામાં આવી છે. આપણા જીવનની ઘણી સમસ્યાઓ દૂર થઇ જશે. સુખ સમૃદ્ધિ હંમેશા પાસે રહેશે અને ઘર હંમેશા ધન-ધાન્યથી ભરેલુ રહેશે.
બાળકોને અપાવો આશીર્વાદ
જો તમારા ઘરમાં કોઇ બાળક છે તો બુધવારના દદિવસે અથવા કોઇ સારા નક્ષત્રમાં કિન્નરનો આશીર્વાદ અપાવો. કિન્નરનો આશીર્વાદ બાળકની કિસ્મત બદલી દેશે.
બુધવારે કરો આ ઉપાય
ખુબ પરિશ્રમ કરવા છતાં પણ જો કાર્યોમાં સફળતા ન મળે તો બુધવારના દિવસે કોઇ કિન્નરને લીલા રંગના વસ્ત્ર અને શ્રૃંગારનો સામાન આપી વિશેષરૂપથી આશીર્વાદ લેવો જોઇએ. આ ઉપાય કર્યા બાદ તમારા જીવનમાં સુખ જ સુખ આવશે.
એક રૂપિયો બદલશે કિસ્મત
ક્યારેક રસ્તામાં તમને કોઇ કિન્નર મળે તો તેના પર હસો નહી અને ભૂલથી પણ તેનું અપમાન ન કરો. તમારી ક્ષમતા અનુસાર તેને જે પણ બની શકે દક્ષિણા આપી દો અથવા ભોજન કરાવી દો. તેમની પાસેથી એક રૂપિયાનો સિક્કો માંગો અને જો તમને તે સિક્કો મળે તો તેને તમારા પર્સમાં કે ઘરમાં જ્યાં ધન મુકતાં હોવ ત્યાં મુકો પછી જુઓ તમારા જીવનમાં એક બાદ એક ચમત્કાર થશે.