નીલગીરીના પાનમાંથી નીકળતો રસ ખૂબ જ ફાયદારૂપ હોય છે. આ તેલ અનેક રોગમાં લાભદાયી રહી છે. નીલગીરીના પાનની ગાંઠમાં તેલ હોય છે અને તેને કાઢીને તેનાથી દવા અને જડી બુટ્ટીઓ બનાવાય છે. પરફ્યુમમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો જાણો કઈ બીમારીઓમાં નીલગીરીનું તેલ ફાયદો કરે છે.
અનેક બીમારીઓમાં લાબદાયી છે નીલગીરીનું તેલ
વાળ, સ્કીન અને મોટા રોગમાં કરશે મદદ
સ્ટ્રેસ ઓછો કરવામાં ખૂબ જ અસરકારક છે આ તેલ
વાળ કાળા કરવામાં કરે છે મદદ
નીલગિરીના તેલમાં એન્ટીફંગલ ગુણો હોય છે જે સંક્રમણ સામે સુરક્ષા પ્રદાન કરવાનુ કામ કરે છે. આ સાથે નીલગિરીનુ તેલ માથાના રોમછિદ્રો ખોલી દે છે અને વાળને પોષણ આપવાનુ કામ કરે છે. નીલગિરીના તેલથી વાળ કાળા થાય છે અને સાથે ખરતા પણ બંધ થઇ જાય છે.
કિડનીની પથરીને કરે છે ખતમ
કિડનીની પથરીનું દર્દ લોકોને મુશ્કેલીમાં મૂકે છે. આ દર્દ ખૂબ જ અસહ્ય હોય છે. તેમાં વ્યક્તિ નબળો પડે છે. તમને જે જગ્યાએ દર્દ થતું હોય તે જગ્યાએ નીલગીરનું તેલ લગાવવાથી રાહત મળે છે.
દાંતનો સડો કરશે દૂર
દાંતમાં દર્દ, પેઢામાં સોજા વગેરે સમસ્યામાં તમે નીલગીરીના તેલનો ઉપયોગ કરી શકો છો. તે કીટાણુને દૂર કરવામાં તમારી મદદ કરશે.
પેટના કીટાણુને પણ કરે છે સાફ
નીલગીરીનું તેલ બાળકો માટે લાભદાયી રહે છે.તે બાળકોના પેટમાં થતા કીડાનો નાશ કરવામાં ફાયદો કરશે.
સ્ટ્રેસમાં કરે છે લાભ
શરીરને આરામ ન મળવાને કારણે તણાવ તેમજ શરીરમાં બેચેની થવા લાગે છે અને વિકનેસ આવી જાય છે. થાક તેમજ સ્ટ્રેસ લેવલ ઓછુ કરવા નીલગિરીના તેલનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે નીલગિરીના તેલથી 20થી 25 મિનિટ માલિશ કરવાની રહેશે. નીલગિરીના તેલની સુંગધ તાજગી પ્રદાન કરવાનુ કામ કરે છે. તેનાથી તમે ફ્રેશ થશો અને થાક પણ દૂર થશે.
સ્કીનને કરે છે લાભ
નીલગિરીના તેલમાં એન્ટી બેક્ટેરીયલ ગુણો હોય છે જે ત્વચાના દરેક સંક્રમણને દૂર કરવાનુ કામ કરે છે. આ સાથે નીલગિરીનું તેલ ત્વચાને મુલાયમ તેમજ ડાઘરહિત બનાવવાનુ કામ કરે છે. સ્કીન પર કોઇ પ્રકારની બળતરા થાય છે તો નીલગિરીનું તેલ અસરકારક સાબિત થાય છે. ફેસિયલ, બ્લીચ કે પછી બીજી કોઇ પણ પ્રકારની બ્યૂટી ટ્રિટમેન્ટ બાદ તેનુ રિએક્શન આવે અને બળતરા થવા લાગે તો તમે નીલગિરીના તેલનો ઉપયોગ કરી શકો છો.