જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવ્યા બાદ પહેલી વાર કોઇ વિદેશી પ્રતિનિધિમંડળ ઘાટીની મુલાકાત લઇ રહ્યું છે. આજરોજ યૂરોપિયન યૂનિયન (EU)ના કુલ 27 સાંસદ શ્રીનગર અને ઘાટી સહિત અન્ય વિસ્તારની મુલાકાત લેશે. પરંતુ EU સાંસદોની આ મુલાકાત વિપક્ષના ગળે ઉતરી રહી નથી. કોંગ્રેસ સહિત વિપક્ષની અન્ય પાર્ટીઓએ આ મુદ્દે મોદી સરકારને ઘેરી છે.
આજે કાશ્મીરની મુલાકાત લેશે EU સાંસદની ટીમ
રાહુલ સહિત અનેક વિપક્ષી નેતાઓએ ઉઠાવ્યાં સવાલ
ભારતના સાંસદોને કેમ નથી જવા દેવામાં આવતા કાશ્મીર
રાહુલ ગાંધીએ મોદી સરકાર પર સાધ્યું નિશાન
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે આ મામલે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો કે જ્યારે ભારતીય સાંસદો અથવા નેતાઓને જમ્મૂ-કાશ્મીર જવા દેવામાં નથી આવી રહ્યાં ત્યારે EU સાંસદોને આ મંજૂરી કેવી રીતે મળી ગઇ. રાહુલ ગાંધીએ જણાવ્યું કે આ ઘણુ ખોટુ થઇ રહ્યું છે. જો કે રાહુલ ગાંધી જ નહી પરંતુ કોંગ્રેસ પાર્ટીના અન્ય નેતાઓ અને પ્રવક્તાઓએ આ મામલે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યાં.
સંસદમાં આ મુદ્દા પર થઇ શકે છે હંગામો
નવેમ્બર મહિનામાં સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ આ પ્રથમ સત્ર યોજાવા જઇ રહ્યું છે. કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યું કે EU સાંસદોની કાશ્મીર મુલાકાતનો મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવશે. આનંદ શર્માએ કહ્યું વિદેશી સાંસદોને જવા દેવા તેમજ ભારતીય સાંસદોને ઘાટી નહીં જવા દેવા, ભારતની સંસદનું અપમાન છે.
વિપક્ષ સાથે મોદી સરકારને પોતાનાએ પણ ઘેર્યાં
સોમવારે બપોરે જ્યાર EU સાંસદોની કાશ્મીર મુલાકાતની વાત સામે આવી ત્યારે આ મુદ્દા પર સવાલ ઉઠાવનારા સૌથી પહેલા ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી હતા.