વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડા પ્રધાને આજે રાજધાની દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં 'સેવ સોઇલ' પર આયોજિત એક કાર્યક્રમમાં દેશને ગુડ ન્યૂઝ આપ્યા છે.
પીએમ મોદીએ દેશવાસીઓને આપ્યા ગુડ ન્યૂઝ
પેટ્રોલ ડીઝલમાં 10 ટકા ઈથેનોલના મિશ્રણનો ટાર્ગેટ પ્રાપ્ત કર્યો
સરકારે આટલો ટાર્ગેટ નિર્ધારિત કર્યો છે
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડા પ્રધાને આજે રાજધાની દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં 'સેવ સોઇલ' પર આયોજિત એક કાર્યક્રમમાં દેશને ગુડ ન્યૂઝ આપ્યા છે. હકીકતમાં જોઈએ તો, પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે, દેશની ઓઇલ કંપનીઓએ 10 ટકા ઇથેનોલ પેટ્રોલ મિશ્રણનું લક્ષ્ય હાંસલ કર્યું છે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશે આ લક્ષ્ય 5 મહિના પહેલા જ હાંસલ કરી લીધું છે. આપને જણાવી દઈએ કે, ઇથેનોલ પેટ્રોલ બ્લેન્ડિંગને કારણે કાર્બન ઉત્સર્જનમાં ભારે ઘટાડો થયો છે અને સાથે જ દેશના ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે.
Delhi | Today, PM announced that India has achieved the target of 10% ethanol blending in petrol five months ahead of schedule. This is a transformative and revolutionary development: Petroleum Minister Hardeep Singh Puri pic.twitter.com/sdadYZMOs5
આપને જણાવી દઈએ કે, મે મહિનામાં જ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે, ભારતમાં પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણનું સ્તર 9.99 ટકા પર પહોંચી ગયું છે. નોંધપાત્ર રીતે, ભારતે 2022 ના અંત સુધીમાં પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલ મિશ્રણ અને 2030 સુધીમાં 20 ટકા મિશ્રણનું લક્ષ્ય નક્કી કર્યું હતું. આ ઉપરાંત કેન્દ્ર સરકારે 2030 સુધીમાં ડીઝલ સાથે બાયોડીઝલના 5 ટકા મિશ્રણનો લક્ષ્યાંક પણ રાખ્યો છે. તેલ કંપનીઓએ લગભગ 5 મહિના અગાઉથી જ 10 ટકાનો લક્ષ્યાંક પૂર્ણ કરી લીધો છે. ઇથેનોલ પેટ્રોલ બ્લેન્ડિંગ દ્વારા કેન્દ્ર સરકારે લગભગ 40 હજાર કરોડ રૂપિયા બચાવ્યા છે.
પેટ્રોલ ઇથેનોલને મિશ્રિત કરવાનો આ ફાયદો છે
પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમનો હેતુ ક્રૂડ ઓઇલની આયાત પર દેશની નિર્ભરતા ઘટાડવા, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને ખેડૂતોની આવક વધારવાનો છે. કેન્દ્રએ મિશ્રણને પ્રોત્સાહિત કરવા ઓક્ટોબરથી મિશ્રિત ઇંધણ પર પ્રતિ લિટર રૂ. 2 વધારાના ચાર્જની પણ જાહેરાત કરી છે. મે મહિનામાં જ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ કહ્યું હતું કે, દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલમાં 9.99 ટકા ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો છે, ત્યારે જ એવું માનવામાં આવતું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત લક્ષ્ય સમય પહેલા પૂર્ણ થશે. ભારત 2025-2026 સુધીમાં ઇથેનોલ પેટ્રોલ બ્લેન્ડિંગના 20% મિશ્રણને હાંસલ કરવા માટે તૈયાર છે.