ઉત્તરપ્રદેશના ઈટાવામાં બેકાબૂ ટ્રકે 11 લોકોને કચડ્યા છે જેમાં 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. 8 લોકો ઘાયલ થયા છે. સીએમ યોગીએ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું.
યૂપીમાં મોટો અકસ્માત
ઈટાવામાં બેકાબૂ બની ટ્રક
11 લોકો કચડાયા, 3ના થયા મોત
મળતી માહિતી અનુસાર યૂપીના ઈટાવામાં એક બેકાબૂ ટ્રકે 11 લોકોને કચડ્યા છે. આ દર્દનાક ઘટનામાં 3 લોકોના મોત પણ થયા છે તો 8 લોકો ઘાયલ થયા છે. સૂચના બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઘાયલોને હોસ્પિટલમાં એડમિટ કરાવ્યા છે. જેમાંથી 2 વ્યક્તિની સ્થિતિ નાજુક છે. ઉલ્લેખનીય છે કે ઘટનાનો ભોગ બનેલા લોકો આગામી પંચાયત ચૂંટણીમાં મતદાન કરવા દિલ્હીથી ઝાંસી પોતાના ગામ જઈ રહ્યા હતા.
સવારે 4 વાગ્યાની આસપાસ બની ઘટના
આ ઘટના ઈટાવાના નેશનલ હાઈવે 19 પર સવારે 4 વાગ્યાની આસપાસ બની છે. બકેવર પોલીસ વિસ્તારમાં બિજોલીની પાસે કારના ટાયર બદલતી સમયે પાછળથી એક ટ્રકે કારને ટક્કર મારી હતી. તેમાં 11 લોકો ટ્રકની ઝપેટમાં આવ્યા, આ ઘટના બાદ આખા વિસ્તારમાં ભાગદોડ અને અરેરાટી મચી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વ્યક્ત કર્યો શોક
આ સડક દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો છે. તેઓએ દિવંગત આત્માની શાંતિ માટે કામના કરતાં મૃતકોને શોક સંતપ્ત પરિજનોને પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ જિલ્લા પ્રશાસનના વરિષ્ઠ અધિકારીને આ અવસરે પહોંચીને પીડિતની મદદ કરવા અને દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સમુચિત ઉપચારના નિર્દેશ આપ્યા છે.