એસેન્શિયલ કમોડિટી એક્ટમાં ફેરફારની તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. કન્ઝ્યૂમર ઑફેયર મંત્રાલયે ફેરફારોનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. ડ્રાફ્ટ મંત્રાલય પર કાનૂન મંત્રાલયનું મંતવ્ય માંગવામાં આવ્યું છે. ખેડૂતોની આવક બમણી કરવામાં મદદ મળશે.
મોદી સરકારના બીજા કાર્યકાળમાં ખેડૂતોને લઇને ઘણા નિર્ણય લેવાઇ ગયા છે
પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ તમામ ખેડૂતોને વર્ષના 6000 રૂપિયા મળે છે
કન્ઝ્યૂમર અફેર મંત્રાલયે બદલાવનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધા છે
ખેડૂતોની આવક બમણી કરવા માટે કન્ઝ્યૂમર ઑફેયર મંત્રાલયે એસેન્શિયલ કમોડિટી એક્ટમાં ફેરફારનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. હાલ એની પર કાનૂન મંત્રાલયનું મંતવ્ય માંગ્યું છે. કાનૂન મંત્રાલયથી લીલી ઝંડી મળ્યા બાદ એને લાગૂ કરવામાં આવી શકે છે. તમને જણાવી દઇએ કે મોદી સરકારના બીજા કાર્યકાળમાં ખેડૂતોને લઇને ઘણા નિર્ણય લેવાઇ ગયા છે. પરંતુ પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અને પેન્શન સ્કીમને સૌથી મોટી જાહેરાત માનવામાં આવી રહી છે. પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ તમામ ખેડૂતોને વર્ષના 6000 રૂપિયા મળે છે.
હવે શું થશે
એસેન્શિયલ કમોડિટી એક્ટમાં બદલાવની તૈયારી પુરી થઇ ગઇ છે. કન્ઝ્યૂમર અફેર મંત્રાલયે બદલાવનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધા છે. ડ્રાફ્ટ પર કાનૂન મંત્રાલયની ટિપ્પણી માંગવામાં આવી છે. તમને જણાવીએ કે નીતિ આયોગે અસેન્શિયલ કમોડિટી એક્ટમાં બદલાવની માંગ કરી છે. ખેડૂતોની આવક બેગણી કરવામાં મદદ મળશે. હાલ વેપારી એક્ટને કારણે જરૂરી વસ્તુઓની ખરીદ અને ભંડાર નથી કરતા. સૂત્રોનું કહેવું છે કે બજેટમાં આ અંગેની જાહેરાત થઇ શકે છે.
શું-શું ફેરફાર કરવાની ભલામણ કરવામાં આવી છે
અસેન્શિયલ કમોડિટી એક્ટમાં કાર્યવાહી થતા વેપારીની ધરપકડ કરવામાં નહીં આવે. વેપારીની કોઇપણ પ્રોપર્ટી જપ્ત નહીં થાય. વેપારી પાસેથી નફાની રકમ વસૂલવામાં નહીં આવે. તમામ અપરાધોમાં વેપારીને જામીન મળશે. વેપારીને પોતાના સ્ટોકની જાણકારી સરકારી પોર્ટલ પર આપવી પડશે.