2012ની ચૂંટણીમાં 13 ST બેઠકો પર 70 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. જેમાં ભાજપને માત્ર ત્રણ અને કોંગ્રેસને 10 બેઠકો મળી હતી
14 આદિવાસી અનામત ધરાવતી મહત્વની બેઠકોના સમીકરણો
2012માં 13 ST બેઠકો પર 70 ટકાથી વધુ મતદાન થયું હતુ
2012માં ભાજપને માત્ર ત્રણ અને કોંગ્રેસને 10 બેઠકો મળી હતી
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 14 આદિવાસી અનામત પર મતદાન થયું છે. હવે બધાની નજર બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતની 13 આદિવાસી બેઠકો પર છે. હવે આ બેઠકો જીતવા ભાજપ, કોંગ્રેસ બંનેએ પ્રચાર તેજ કર્યો છે. પરંતુ આજે પણ આદિવાસી સમાજ તેમની સમસ્યાઓના નિરાકરણ માટે સંઘર્ષ કરતી જોવા મળી રહી છે.
2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ દર્શાવે છે કે 2012ની ચૂંટણીમાં 13 ST બેઠકો પર 70 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. જેમાં ભાજપને માત્ર ત્રણ અને કોંગ્રેસને 10 બેઠકો મળી હતી. 2012માં પાંચ ટકાથી ઓછા માર્જિનવાળી ત્રણ બેઠકો હતી. જેમાં કોંગ્રેસે બે અને ભાજપે એક બેઠક જીતી હતી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ 13 બેઠકો પર 67.85 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપને 4 અને કોંગ્રેસને 8 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જ્યારે એક બેઠક અન્ય પક્ષે જીતી હતી. 2017માં પાંચ સીટો પર જીતનું માર્જીન પાંચ ટકાથી ઓછું હતું. જેના કારણે ભાજપ અને કોંગ્રેસ બંનેને બે-બે બેઠકો મળી હતી.
આદિવાસી બેઠકો પર શુ છે સમીકરણ
ગુજરાતમાં બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે. જેનો મોટો ભાગ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદને અડીને આવેલો છે. તેમાં આદિવાસી વિસ્તાર પંચમહાલ વિસ્તારનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યના પાટનગર ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને આણંદ જેવા શહેરોનો પણ સમાવેશ થાય છે. ભાજપ આ વિસ્તારમાં પોતાની પકડ વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના અનેક અગ્રણી નેતાઓ ભાજપમાં જોડાયા છે જેમાં આદિવાસી આગેવાન મોહનભાઈ રાઠવાનો પણ સમાવેશ થાય છે. કોંગ્રેસ પણ બીજા તબક્કામાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં યોજાનારી મતવિસ્તારમાં તેની અગાઉની પકડ મજબૂત રાખવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહી છે. આ વિસ્તાર રાજસ્થાનને અડીને આવેલો છે. કોંગ્રેસ નેતા અશોક ગેહલોત રાજ્યમાં ચૂંટણીની કામગીરી જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આ વિસ્તાર તેમના માટે મહત્વપૂર્ણ રહેશે તેમજ આ સરહદી વિસ્તારમાં બંને રાજ્યોના મુદ્દાઓ અને સંબંધોની મોટી અસર પણ રહે છે. આવતા વર્ષે એમપી અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં, આ વિસ્તાર બંને પક્ષો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશ.
આદિવાસીઓને ભાજપના વચનો
આદિવાસી બેઠકો પર હંમેશા કોંગ્રેસ પક્ષનો કબજો રહ્યો છે. આ બેઠકોને કોંગ્રેસ ગઢ માનવામાં આવે છે. પરંતુ 2022માં ભાજપે આદિવાસી સમૃદ્ધિ કોરિડોર દ્વારા આ વોટબેંકમાં પોતાના હસ્ત કરવામો પ્રયાસ કર્યો છે. ભાજપે વન બંધુ કલ્યાણ યોજના 2.0 હેઠળ આદિવાસી સમાજને એક લાખ કરોડ રૂપિયા ફાળવવાનું વચન આપ્યું હતું. આદિવાસી વિદ્યાર્થીઓને ટોપ રેન્કિંગ સંસ્થામાં પ્રવેશ મેળવવા પર ગ્રાન્ટ આપવાની વાત છે આદિવાસી વિસ્તારોમાં 8 મેડિકલ અને 10 નર્સિંગ પેરામેડિકલ કોલેજોની સ્થાપના. તેમજ અંબાજીથી ઉમરગામ સુધી બિરસા મુંડા આદિવાસી સમૃદ્ધિ કોરિડોર બનાવીને દરેક જિલ્લાને 4 થી 6 લાઇનના હાઇવેથી જોડવાનું વચન આપવામાં આવ્યું છે.
આદિવાસીઓને કોંગ્રેસના વચનો
કોંગ્રેસે પોતાનો કિલ્લો બચાવવા માટે આદિવાસી સમાજને અનેક વચનો પણ આપ્યા છે. કોંગ્રેસે PESA એક્ટ લાગુ કરવાનું વચન આપ્યું છે. જેમાં પ્રાકૃતિક સંસાધનોનું સંચાલન કરવાની સત્તા ગ્રામસભાઓને રહશે. વન અધિકાર અધિનિયમનો અમલ જેમના હેઠળ જંગલની જમીન પરના અધિકારો આપવામાં આવશે. આ ઉપરાંત, વેદાંત, પાર-તાપી લિંકેજ પ્રોજેક્ટને લગતી મંજૂરીઓ અને પ્રક્રિયાઓ રદ કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ એક્ટ રદ્દ કરવામાં આવશે. ખેડૂતોને જમીન પરત આપવામાં આવશે.
આદિવાસી સમાજના લોકોનું શું કહેવું
સમાજના લોકોનું કહેવું છે કે ફોરેસ્ટ રાઈટ એક્ટ 2006 હેઠળ 75 વર્ષ કે 3 પેઢીઓ થઈ ગઈ હોય તો માલિકી હક્ક આપવાનો કાયદો અમલમાં છે, પરંતુ આજે પણ 92 હજારથી વધુ અરજીઓ પેન્ડિંગ છે. ઘણી આદિવાસી વસાહતોમાં આવેલા ગામોને મહેસૂલી ગામો તરીકે માન્યતા આપવામાં આવી નથી. તેથી જ ત્યાંના આદિવાસી લોકોને પંચાયતી રાજનો લાભ મળી રહ્યો નથી. સરકારી યોજનાઓના તમામ લાભો ઓનલાઈન ઉપલબ્ધ છે. પરંતુ આજની સ્થિતિમાં ઘણા આદિવાસી વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા છે. રાજ્યના સરિતા ગાયકવાડ અને મુરલી ગાવિત જેવા ખેલાડીઓ આદિવાસી પ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે. પરંતુ રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરે એક પણ રમતનો સમાવેશ થતો નથી.