વડોદરામાં દુષિત પાણીના કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે. પાણીજન્ય રોગના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે શહેરના ફતેપુરા વિસ્તારમાં દુષિત પાણીના કારણે એક પ્રૌઢનું મોત થયુ છે.
મળતી માહિતી મુજબ દુષિત પાણી પીવાના કારણે પ્રૌઢને ઝાડા-ઉલટી થયા હતા. ઝાડા-ઉલટીના કારણે પ્રૌઢનુ મોત થયુ છે. શહેરમાં ચાલુ મહિનામાં ઝાડા-ઉલટીના 543 દર્દીઓ નોંધાયા છે.
મહત્વનુ છે કે, શહેરમાં દુષિત પાણીના કારણે સ્થાનિકો પરેશાન છે. જેના કારણે વિવાદ પણ થયો છે. દૂષિત પાણીના વિતરણના મામલે ત્રણ અધિકારીઓને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી. અલ્પેશ મજમુદાર, રાજેશ ચૌહાણ, મનહર બગડાને નોટિસ ફટકારવામાં આવી. અલ્પેશ મજમુદાર અને રાજેશ ચૌહાણને શિક્ષાત્મક કાર્યવાહીની નોટિસ ફટકારવામાં આવી છે. મનહર બગડાને બરતરફ કરવાની નોટિસ ફટકારી છે.
વડોદરામાં દુષિત પાણીનો પ્રશ્નનો ઉકેલ કેમ નથી થતો?
અત્યાર સુધી દુષિત પાણીનો વિવાદ કેમ ઉકેલ ન થયો?
લોકોએ ધરણા કર્યા બાદ પણ તંત્ર કેમ ન જાગ્યુ?
કોંગ્રેસના વિરોધ બાદ પણ સરકાર નિંદ્રામાં?
નાયબ મુખ્યમંત્રીની મુલાકાત બાદ પણ નિવારણ કેમ નહીં?
તંત્ર દ્વારા કેમ પાણી મુદ્દે પગલા લેવામાં આવતા નથી?
3 અધિકારીઓનો નોટિસ આપવાથી મુદ્દાનો ઉકેલ આવશે?
તંત્ર દ્વારા પાણીના શુદ્ધિકરણ માટે કેમ પગલા લેવાતા નથી?