વડોદરાઃ શહેરમાં રોગચાળાએ ભયંકર માથુ ઉચક્યું છે. સામાન્ય પ્રજાની સાથે ખુદ રાજકીય નેતાઓ પણ રોગચાળાની ચપેટમાં આવ્યા છે જેના પગલે કોર્પોરેશનની આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું છે. ત્યારે હવે આરોગ્ય વિભાગ ક્યા પ્રકારની કામગીરી કરી રહ્યું છે.
વડોદરામાં ચિકનગુનિયા ડેન્ગયુ સ્વાઈન ફલૂ અને મલેરિયા જેવા રોગો ઘરે ઘરે ફેલાયા છે. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ અને ભાજપના 7 મહિલા કોર્પોરેટરો પણ બીમાર પડ્યા છે. ત્યારે મનપાની આરોગ્ય વિભાગની ટીમ એકશનમાં આવી એક એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં આરોગ્ય વિભાગે રોજે રોજ 17000 ઘરોમાં સર્વેની કામગીરી ઉપરાંત ફોગીગનો લક્ષ્યાંક રાખ્યો છે.
તો 956 જેટલા અધિકારીઓની ટીમ તૈયાર કરી છે. મનપાના આરોગ્ય અધિકારી રોગચાળાને કાબુમાં લેવા તમામ પ્રયાસો કરી રહ્યા હોવાના દાવા કરી રહ્યા છે.
મનપાની કામગીરી
- કોર્પોરેશને 34 અર્બન હેલ્થ સેન્ટરના પેરા મેડિકલના 956 સ્ટાફ દ્વારા ઘરે ઘરે જઈ સર્વેની કામગીરી શરૂ કરાવી
- 1 55 786 ઘરોમાં સર્વે પુરો કર્યો
- રોજે રોજ 17000 ઘરોમાં સર્વોનો લક્ષ્યાંક નકકી કર્યો
- ઈન્ટ્રા અને પેરા ડોમેસ્ટીક અને ફોગીગની કામગીરી શરૂ કરાવી
મનપાની આરોગ્ય વિભાગની કામગીરી સામે સ્થાનિકો રોષ વ્યકત કરી રહ્યા છે. શહેરના પેન્ટર તાનાજીની ગલી વિસ્તારમાં લોકોના ઘરે ઘરે બીમારી ફેલાઈ છે જેના કારણે લોકો આરોગ્ય વિભાગની કામગીરીથી અસંતુષ્ટ છે. તો કોગ્રેસ મનપાનો એક્શન પ્લાન માત્ર કાગળ પર જ હોવાનો આરોપ લગાવી રહી છે.
વડોદરામાં છેલ્લા અઠવાડિયાથી સતત વિવિધ રોગના કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જોકે તત્ર સબ સલામતના દવા કરે કરે છે. પરંતુ વાસ્તવિક્તા એ છે કે વડોદરા મહાનગરપાલિકાએ 250 જેટલી ફાયલેરીયાની બહેનોને છુટ્ટી કરી છે જે જગ્યાઓ આજે પણ ભરવામાં આવી નથી. જેના કારણે ફિલ્ડમાં જે કામગીરી કરવાની છે તે થઇ શક્તિ નથી. જેના કારણે લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે અને વડોદરામાં દિનપ્રતિદિન રોગચાળો વધી રહ્યો છે.