વડોદરા શહેરમાં દિવસેને દિવસે રોગાચાળો વકરી રહ્યો છે. જેને લઈને શહેર કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કર્યો છે.
વડોદરા શહેર કોંગ્રેસ ઓફિસની સામે જ મચ્છરોના બ્રીડિંગ મળી આવતા કોંગ્રેસના નેતા સહિત કાર્યકરોમાં તંત્રની કામગીરી સામે રોષ ભભુક્યો છે. વરસાદી કાંસમાં મચ્છરોના બ્રિડીંગ મળી આવતા શહેર કોંગ્રેસના પ્રમુખ બિમારીમાં સંપડાયા હતા. તો બે ધારાસભ્યો પણ ચિકનગુનીયાની બિમારીમાં ઘેરાયા હતા.
નોંધનીય છે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. અત્યાર સુધીમાં સ્વાઈન ફલૂના કારણે કુલ 14 તો ડેન્ગ્યુને કારણે કુલ 4 દર્દીઓના મોત નિપજ્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઇક કડક પગલા લેવામાં આવ્યા નથી.