31 જુલાઈએ PFના વ્યાજના પૈસા આવવાના હતા. પરંતુ હવે આ મહિનાના અંત સુધી આવી શકે છે પૈસા
EPFO 6.5 કરોડ સબ્સક્રાઈબર્સને આપશે ખુશખબર
ખાતામાં ટ્રાન્સફર થશે 8.5 ટકા વ્યાજના પૈસા
જાણો EPFOએ શું કરી જાહેરાત
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ 6.5 કરોડ સબ્સક્રાઈબર્સને ખૂબ જ જલ્દી ખુશખબર મળવાની છે. EPFO ટૂંક સમયમાં જ સબ્સક્રાઈબર્સના ખાતામાં 8.5 ટકા વ્યાજના પૈસા ટ્રાન્સફર કરી શકે છે, આ વાત EPFOએ એક ટ્વીટ કરીને જણાવી છે.
ટૂંક સમયમાં આવશે 8.5 ટકા વ્યાજના પૈસા
ટ્વીટર પર યુઝર્સના સવાલોના જવાબ આપતા EPFOએ કહ્યું કે તેમની પ્રક્રિયા ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ તે જોવા મળશે. EPFOએ કહ્યું કે એકાઉન્ટમાં જ્યારે વ્યાજના પૈસા ક્રેડિટ કરવામાં આવશે, તે એક સાથે જ જમા કરવામાં આવશે જેથી વ્યાજનું નુકસાન ન હોય, માટે કૃપા ધિરજ રાખો. જોકે EPFOએ પોતાના આ ટ્વીટમાં એ નથી જણાવ્યું કે પ્રોવિડન્ડ ફંડના વ્યાજના પૈસા ક્યારે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
The process is in pipeline and may be shown there very shortly. Whenever the interest will be credited, it will be accumulated and paid in full. There would be no loss of interest. Please maintain patience.
મોદી સરકારે નાણાકીય વર્ષ 2020-21 માટે 8.5 ટરા વ્યાજની મંજૂરી આપી દીધી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ઓગસ્ટના અંતમાં PFનું 8.5 ટકા વ્યાજ ટ્રાન્સફર કરી દેવામાં આવશે.
વ્યાજદર 7 વર્ષના સૌથી નિચલા સ્તર પર
તમને જણાવી દઈએ કે ગઈ વખતે નાણાકીય વર્ષ 2019-20માં KYCમાં થયેલી છેતરપિંડીના કારણે ઘણા સબ્સક્રાઈબર્સે લાંબી રાહ જોવી પડી હતી. EPFOએ નાણાકીય વર્ષ 2020-21 માટે વ્યાજદરમાં વગર ફેરફારે 8.5 ટકા યથાવત રાખ્યુ હતું જે પાછલા 7 વર્ષમાં સૌથી નીચલા સ્તરના વ્યાજદર છે.