EPFOના 6 કરોડ ગ્રાહકો મોટા સારા સમાચાર છે. શ્રમ મંત્રી સંતોષ ગંગવારે કહ્યું કે EPFO જલ્દીથી પોતાના 6 કરોડ સબ્સક્રાઇબર્સના ખાતામાં વર્ષ 2018-19નું વ્યાજ જમા કરશે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં 8.65 ટકા વ્યાજદરનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો
નાણા મંત્રાલયે પ્રસ્તાવને મંજૂરી આપી, 2018-19માં વ્યાજદરમાં 0.10 ટકાનો વધારો કરવામાં આવ્યો
મીડિયા રિપોર્ટ અનુસાર ગંગવારે મંગળવારે કહ્યું કે 6 કરોડ EPFO સબ્સક્રાઇબર્સના ખાતામાં 2018-19 માટે 8.65 ટકાના હિસાબથી વ્યાજ મળશે. ગત મહિને શ્રમ મંત્રીએ કહ્યું હતું કે શ્રમ મંત્રાલય 2018-19 માટે જલદીથી 8.65 ટકાના વ્યાજ અધિસૂચિત કરશે કારણ કે નાણા મંત્રાલયે એની પર પોતાની અસહમતિ વ્યક્ત કરી નથી.
આ પહેલા શ્રમ મંત્રીની અધ્યક્ષતા વાળી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન માટે નિર્ણય લેતા ઉચ્ચ એકમ CBTએ 2018-19 માટે 8.65 ટકા વ્યાજ આપવાનો નિર્ણય કર્યો હતો.
ગત મહિને ગંગવારે કહ્યું હતું કે,
EPF પર 2018-19 માટે 8.65 વ્યાજ દર પર નાણા મંત્રાલય અસહમત નથી. મને ભરોસો છે કે એનાથી જલદી અધિસૂચિત કરવામાં આવશે.
6 કરોડ સબ્સક્રાઇબર્સના EPF ખાતામાં વ્યાજ જમા કરવા માટે EPFOને શ્રમ મંત્રાલયના નોટિફિકેશનની જરૂર પડે છે. નવા વ્યાજ દર અધિસૂચિત થયા બાદ ઇપીએફઓ આ દર પર વિડ્રોઅલ ક્લેમ નિપટાવી શકે છે.
વર્તમાનમાં EPFO જમા રકમ પર 8.55 ટકા વ્યાજ આપવામાં આવે છે. આ દર 2017-18માં લાગુ કરવામાં આવ્યો હતો.
2017-18માં જે વ્યાજ આપવામાં આવ્યું તે પાંચ વર્ષમાં સૌથી ઓછું હતું. 2016-17માં વ્યાજર 8.65% હતો. 2013-14 અને 2014-15માં કર્મચારીઓને 8.75% વ્યાજ આપવામાં આવ્યું હતું. 2012-13માં 8.50% વ્યાજ આપવામાં આવતું હતું.
નાણા મંત્રાલયથી લીલી ઝંડી મળ્યા બાદ શ્રમ મંત્રાલય 2018-19 માટે EPFના વ્યાજદર અધિસૂચિત કરી શકે છે. ત્યારબાદ EPFO પોતાના 136 ફીલ્ડ ઓફિસને નિર્દેશ આપશે કે એ સબ્સક્રાઇબર્સના ખાતામાં વ્યાજ જમા કરે અને વિડ્રોએલ ક્લેમ પણ આ દરે નિપટાવે.