કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન હેઠળ આવતા કર્મચારીઓના હિતમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય હેઠળ હવે કર્મચારીઓની વીમા રકમ વધારીને 7 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.
PF ખાતાધારકો માટે આવ્યા સારાં સમાચાર
હવે કર્મચારીઓની વીમા રકમ વધારીને 7 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે
વીમા રકમમાં એક લાખ રૂપિયાનો વધારો કરાયો છે
હકીકતમાં કર્મચારી ડિપોઝિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ સ્કીમ (EDLI) એક વીમા યોજના છે જે ઈપીએફઓના કર્મચારીઓને આપવામાં આવે છે. જો ઈપીએફઓના એક એક્ટિવ કર્મચારીની સેવાના સમયગાળા દરમિયાન અવસાન થઈ જાય તો તેના નોમિનીને 6 લાખ રૂપિયા સુધીની રકમ ચૂકવવામાં આવે છે.
પણ હવે ઈપીએફઓ દ્વારા આ રકમ વધારીને 7 લાખ કરી દેવામાં આવી છે. એટલે કે એક લાખ રૂપિયાનો વધારો થયો છે. કર્મચારીઓને EDLIમાં કોઈ રકમ ચૂકવવી પડતી નથી. કર્મચારીને બદલે કંપની પ્રીમિયમ જમા કરે છે.
આ નિર્ણય બુધવારે શ્રમ પ્રધાન સંતોષ ગંગવારની અધ્યક્ષતામાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (સીબીટી), ઈપીએફની બેઠકમાં લેવામાં આવ્યો છે. બેઠક વર્ચ્યુઅલ હતી અને નાણાકીય વર્ષ 2019-20 માટે ઈપીએફ પરના વ્યાજદર પણ નક્કી કરવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, જે વીમા રકમ મળે છે તે છેલ્લા 12 મહિનામાં મળેલા માસિક પગારથી 30 ગણી હોય છે, જેની મહત્તમ મર્યાદા 6 લાખ રૂપિયા છે. વીમાનો લાભ પરિવારના સભ્યો, કાનૂની વારસદાર અથવા નોમિની મેળવી શકે છે.