ભવિષ્યનિધિ ફંડનું સંચાલન એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) બુધવારે પોતાના 6 કરોડથી વધારે ધારકોને નાણાંકીય વર્ષ 2019-20 માટે પ્રોવિડન્ટ પર નિશ્ચિત વ્યાજની આંશિક ચુકવણી કરવાનો નિર્ણય લીધો છે.
PF પર મળનારું વ્યાજ થયું નક્કી
6 કરોડથી વધારે ગ્રાહકોને થશે ફાયદો
ઈપીએફઓએ લીધો નિર્ણય
મળતી માહિતી અનુસાર કર્મચારી ભવિષ્ય નિધિ પર 8.50 ટકાના નક્કી દરે અત્યારે 8.15 ટકા વ્યાજની ચૂકવણી કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય ઈપીએફઓ ટ્રસ્ટીની બુધવારની બેઠકમાં લેવાયો હતો.
મળતી માહિતી અનુસાર બાકી 0.35 ટકા વ્યાજની રકમ આ વર્ષે ડિસેમ્બર સુધીમાં ઈપીએફ ખાતામાં જમા કરાશે. ઈપીએફઓએ આ પહેલાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં રોકાણ કરાયેલા બજારમાં વેચવાની યોજના બનાવી હતી. ઈપીએફ અંશધારકોને 8.5 ટકાના દરે વ્યાજની રકમ આપશે તેમ કહેવાયું હતું. કોરોનાના કારણે બજારની અસરના કારણે તે શક્ય બન્યું નથી.
ડિસેમ્બરમાં 2020માં તેની ફરી બેઠક થશે
ઈપીએફઓ કેન્દ્રીય ટ્રસ્ટી બોર્ડ, સંગઠનની નિર્ણય લેનારી મુખ્ય સંસ્થા છે. ડિસેમ્બરમાં 2020માં તેની ફરી બેઠક થશે જેમાં ભવિષ્યનિધિ અંશધારકોના ખાતામાં 0.35 ટકાના દરે વ્યાજની બાકી રકમની ચૂકવણી કરવામાં આવશે. વ્યાજની ભરપાઈનો આ મુદ્દો ટ્રસ્ટી બોર્ડની આજની બેઠકમાં નક્કી ન હતો પણ કેટલાક ટ્રસ્ટીઓએ પીએફ ખાતામાં વ્યાજની ચૂકવણીમાં લેટ થવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
શ્રમમંત્રી સંતોષ ગંગવાર ટ્રસ્ટ્રી બોર્ડના અધ્યક્ષ છે. બોર્ડે આ વર્ષે માર્ચમાં થયેલી બેઠકમાં પીએફ પર 2019-20ને માટે 8.5 ટકાના દરે વ્યાજ આપવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નાણામંત્રાલય છેલ્લા નાણાંકીય વર્ષ માટે પીએફ પર 8.5 ટકાના દરે વ્યાજ આપવાનો નિર્ણય પર સહમતિ આપી ચૂક્યા છે.