કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના 8.5 કરોડ શેરધારકોને સરકાર મોટો ઝટકો આપવાની તૈયારીમાં છે. આ ઝટકાથી PF ખાતાની જમા રકમ પર પડવાની સંભાવના છે.
નાણા મંત્રાલયે રજૂ કર્યો પ્રસ્તાવ
એક સમાચાર એજન્સી દ્વારા છપાયેલ એક અહેવાલ મુજબ, નાણા મંત્રાલયે EPFO નો જે પ્રસ્તાવ આપ્યો છે તે મુજબ જમા રકમ પર મળનાર વ્યાજમાં કપાત કરવા માગે છે. સરકારનો તર્ક છે કે બેંકોમાં જે વ્યાજ મળે છે તેનાથી વધારે વ્યાજ PF ખાતામાં મળે છે. તેને બેંક ખાતામાં મળતા વ્યાજ બરાબર કરવા માગે છે.
બેંકો પર પડી રહી છે અસર
નાણા મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કારણે બેંકોની લોન પર લાગતા વ્યાજ દરને ઓછો કરવામાં આવી રહ્યો નથી. અત્યારે EPFO 8.65 ટકા વ્યાજ આપે છે. અત્યાર મોંઘવારી 3 ટકા આસપાસ છે તથા બેંકોમાં બચત ખાતામાં જે વ્યાજ મળે છે તે 4 થી લઇને 6 ટકા વચ્ચે છે.
લોનનો વ્યાજદર વધુ
બેંકો દ્વારા જે લોન મળે છે, તેના પર લોકો બચત ખાતાના મુકાબલે વધારે વ્યાજ ચુકવવું પડે છે. બેંકો આ માટે ફેબ્રુઆરીથી અત્યાર 10-15 બેઝીસ પોઇન્ટ ઓછો થયો છે. શ્રમ મંત્રાલયે કહ્યું કે આ મામલે તેઓ નાણા મંત્રાલય સાથે વાતચીત કરશે.
આવકથી વધારે ખર્ચ કરે છે EPFO
2016-17 માટે EPFO ને સાર્વજનિક રુપે ઉપલબ્ધ ઓડિટ ખાતાઓમાં આવક કરતા વધારે ખર્ચ નોંધવામાં આવ્યો છે. જો કે, આ ડેટા ખાસ વિવરણ રજૂ કરતા નથી. નાણા મંત્રાલયના એક અધિકારીની જણાવ્યા અનુસાર, અમે પહેલા પણ સરપ્લસ ફંડને લઇને શ્રમ મંત્રાલય સામે સવાલ ઉઠાવી ચુક્યા છીએ.