નોકરીયાતો મોટા ખૂબ જ કામની ખબર સામે આવી છે. EPFOએ નોકરી કરનાર લોકો માટે એક એલર્ટ જાહેર કર્યું છે.
EPFO સમય સમય પર આપે છે ચેતાવણી
પોતાના સબ્સક્રાઈબર્સને EPFOએ ચેતવ્યા
જાણો ટ્વીટ કરીને શું કહ્યું.
પોતાના સબ્સક્રાઈબર્સને ફ્રોડથી બચાવવા માટે EPFO સમય સમય પર તેમને ચેતાવણી આપતુ રહે છે. EPFOએ એક ટ્વીટ કરીને પોતાના સબ્સક્રાઈબર્સને ફ્રોડથી હચવા માટે એલર્ટ કર્યા છે. EPFOએ ટ્વીટમાં જમાવ્યું છે કે EPFO ક્યારેય પોતાના સદસ્યોને પર્સનલ ડિટેલ્સ શેર કપવા માટે નથી કહેતું, EPFOએ આગળ કહ્યું કે તેના માટે ગ્રાહકો સતર્ક રહે અને છેતરપિંડી કરતા લોકોથી સાવધાન રહે.
EPFOએ આપી આ મહત્વપૂર્ણ જાણકારી
EPFOએ ગ્રાહકોને સાઈબર ફ્રોડથી બચાવવા માટે એલર્ટ જાહેર કર્યું છે અને જાગૃત કર્યા છે. EPFOએ પોતાના ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ પર લખ્યું છે. #EPFO ક્યારેય પોતાના સબ્સક્રાઈબર્સને પર્સનલ ડિટેલ્સ જેવી કે આધાર, PAN, UAN, બેન્ક ખાતા નંબર અથવા ઓટીપી ફોન અથવા સોશિયલ મીડિયા પર શેર કરવા માટે નથી કહેતું. સંસ્થા આવી જાણકારી ક્યારેય ફોન અથવા સોશિયલ મીડિયા પર નથી લેતી. આ ઉપરાંત ન ક્યારેય બેન્કમાં કોઈ ધનરાશિ જમા કરવા માટે કહે છે.
બેંકો પણ સમયાંતરે એલર્ટ જારી કરે છે
તમને જણાવી દઈએ કે બેંક તેના ગ્રાહકોની સલામતી માટે દરરોજ ચેતવણી જારી કરે છે. બેંક તેના ટ્વિટર હેન્ડલ અને એમએમએસ દ્વારા ગ્રાહકોને ચેતવણી મોકલતી રહે છે.
બેંકિંગ ફ્રોડના કેસો સતત વધી રહ્યા છે
તમને જણાવી દઈએ કે લોકડાઉન દરમિયાન બેંકિંગ છેતરપિંડીના કેસોમાં વધારો થયો છે. RBIના એક રિપોર્ટ અનુસાર ડિજિટલ ટ્રાન્ઝેક્શનને કારણે વર્ષ 2018-19માં 71,543 કરોડ રૂપિયાની બેન્કિંગ છેતરપિંડી થઈ છે. આ સમયગાળા દરમિયાન બેંક છેતરપિંડીના 6800થી વધુ કેસ નોંધાયા હતા. વર્ષ 2017-18માં બેંક છેતરપિંડીના 5916 કેસ નોંધાયા હતા. તેમાંથી 41,167 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી થઈ છે. છેલ્લા 11 નાણાકીય વર્ષોમાં બેંક છેતરપિંડીના કુલ 53,334 કેસ નોંધાયા છે, જ્યારે તેમના દ્વારા 2.05 લાખ કરોડની છેતરપિંડી થઈ છે.