EPFOએ 15,000 રૂપિયાનાં વેતનની લિમિટને દૂર કરવા માટે અને 20થી વધારે કર્મચારીઓવાળી કંપનીના જ કકર્મચારીઓનાં EPF ખાતા ખોલાવવાના નિયમને દૂર કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો છે.
સ્વરોજગાર કરનારાઓ પણ કખોલાવી શકશે EPFOમાં અકાઉન્ટ
વધી જશે ઇપીએફ ખાતાધારકોની સંખ્યા
EPFO નિયમોમાં થયા ફેરફાર
શું તમે પણ એવી કંપનીમાં કામ કરો છો, જ્યાં 20 કરતાં વધારે કર્મચારી છે? શું તમે પણ સ્વરોજગાર કરો છો? તો જલ્દી જ તમને ખુશખબર મળશે. તમે પણ નોકરી કરતાં લોકોની માફક EPFOમાં ખાતું ખોલાવી શકશો. EPFOએ સંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર બધા લોકોને EPFO સાથે જોડવા અને સ્વરોજગાર કરનાર લોકોનાં પણ ઇપીએફ ખાતા ખોલાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે. આ માટે EPFOએ 15,000 રૂપિયાનાં વેતનની લિમિટને દૂર કરવા માટે અને 20થી વધારે કર્મચારીઓવાળી કંપનીના જ કકર્મચારીઓનાં EPF ખાતા ખોલાવવાના નિયમને દૂર કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો છે.
સ્વરોજગાર કરવા પર પણ ખુલશે ઇપીએફ ખાતું
હાલના સમયમાં ઇપીએફ ખાતું ખોળાવવા માટે ઓછામાં ઓછા 15,000 રૂપિયા હોવા જરૂરી છે. સાથે જ તે કંપનીનાં કકર્મચારીનું ઇપીએફ ખાતું ખૂલી શકે છે, જ્યાં ઓછામાં ઓછા 20 કર્મચારી કકામ કરે છે. પરંતુ આ નિયમમાં સંશોધન કર્યા બાદ સ્વરોજગાર કરનાર પણ ઇપીએફ ખાતું ખોલાવી શકે છે. તો સંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર બધા કર્મચારીઓ ભલે કંપનીમાંઆ 20થી ઓછા કર્મચારીઓ કેમ ન હોય, તેમનું ઇપીએફ ખાતું સંશોધન બાદ ખૂલી શકે છે. આ પ્રસ્તાવને લઈને સ્ટેકહોલ્ડરો ઉપરાંત રાજ્ય સરકારો સાથે વાતચીત ચાલી રહી છે.
વધી જશે ઇપીએફ ખાતાધારકોની સંખ્યા
જો EPFOનાં પ્રસ્તાવ પર સહેમતી બનશે, તો EPFOસાથે જોડાવા માટે કંપનીમાંઆ હેડકાઉન્ટનાં નિયમ ઉપરાંત વેતનની લિમિટ પણ ખતમ થઈ જશે. આમ કરવાથી ઇપીએફ ખાતાધારકોની સંખ્યાને 5.5 કરોડથી વધારે વધવામાં મદદ મળશે. સાથે જ સ્વરોજગાર કરનાર સામાજિક સુરક્ષા યોજના સાથે જોડાઈ શકશે. એટલું જ નહીં, EPFO પોતાનું ફંડ કોરપસ વધારવામાં મદદ મળશે જ્યાર બાદ તે શેર બજારમાં રોકાણની સીમાને હાજર 15 ટકાથી વધારે વધારી શકશે.
સામાજિક સુરક્ષા યોજનામાંઆ વધશે એનરોલમેન્ટ
તમને જણાવી દઈએ કે EPFO, ઇપીએફનાં માધ્યમથી પ્રોવિડન્ટ ફંડ, એમ્પ્લોય પેન્શન સ્કીમનાં માધ્યમથી પેન્શન ઉપરાંત, એમ્પ્લોયઝ ડિપોઝિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ સ્કીમ માટે ખાતધારકોને ઈન્શ્યોરન્સ બેનિફિટ પ્રદાન કરે છે. સોશિયલ સિક્યોરીટી કોડ 2020માં પણ સંગઠિત ક્ષેત્રનાં વર્કર્સ, ગિગ અને પ્લેટફોર્મ વર્કરને ઇએસઆઈસી અને ઇપીએફઓનાં રિટાયરમેન્ટ બેનિફિટ આપવા માટે પ્રવધાન છે. આ માટે નોટિફિકેશનનાં માધ્યમથી જરૂરી સંશોષણ કરવા કહેવામાં આવ્યું છે.