નાણા મંત્રાલયે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ (ઇપીએફ) માટે 8.65 ટકાનો દર મંજૂર કર્યો છે. ઇપીએફઓના 6 મિલિયન સભ્યો જેનો લાભ મેળવી શકશે.
નાણા મંત્રાલય હેઠળ ફાઇનાન્સિયલ સર્વિસીઝ ડિપાર્ટમેન્ટ (ડીએફએસ) એ ઇપીએફઓના તેના સભ્યોને 2018-19ના ઇપીએફ પર 8.65 ટકા વ્યાજ આપવાના નિર્ણયને મંજૂરી આપી છે. નાણાકીય સેવા વિભાગે નિવૃત્તિ ભંડોળના પર્યાપ્ત સંચાલનથી સંબંધિત ચોક્કસ શરતોને પરિપૂર્ણ કરવાના આધારે ઇપીએફઓના દરખાસ્તને મંજૂરી આપાઇ છે.
ફેબ્રુઆરીમાં કરાયો હતો આ નિર્ણય
ઉલ્લેખનીય છે કે, ઇપીએફઓના નિર્ણય લેવાવાળી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીજ, જેના અધ્યક્ષ શ્રમમંત્રી સંતોષ ગંગવાર છે. તેમણે 2018-19 માટે ઇપીએફઓ પર વ્યાજ દર વધારીને 8.65 ટકા કરવાનો નિર્ણય કર્યો હતો.
ત્રણ વર્ષ પછી વધેલા દરો
ત્રણ વર્ષ પછી ઇપીએફના વ્યાજ દરમાં વધારો થયો છે. 2017-18 માં, ઇપીએફ પર વ્યાજ દર 8.55 ટકા હતો. ઇપીએફઓએ 2016-17માં વ્યાજના દરમાં 8.65% ઘટાડો કર્યો હતો, જે 2015-16 માં 8.8% હતો.