6 કરોડ નોકરીયાત લોકો માટે જરૂરી સમાચાર EPFO તરફથી આવ્યા છે. જે સીધા તમારા PFને અસર કરશે.
6 કરોડ PF ધારકો માટે મોટા સમાચાર
EPFOએ કર્યો નિયમમાં ફેરફાર
આ કામ નહી કરો તો અટકી જશે પૈસા
EPFOએ પોતાના નિયમમાં બદલાવ કર્યા છે. 1 જૂનથી તમારે EPFO સાથે આધારકાર્ડ લિંક કરવુ પડશે નહીતર તમારુ PF અટકી શકે છે.
EPFOએ Social Security code 2020ના સેક્શન 142માં બદલાવ કર્યો છે જેનાથી ECR ફાઇલીંગ પ્રોટોકોલ બદલાઇ ગયો છે અને આ વાતની જાણકારી ટ્વિટ કરીને આપવામાં આવી છે.
આધાર લિંક નહી કરવાથી થશે નુકસાન
આ નિયમ આવ્યા બાદ કોઇ પણ ગ્રાહક જો આધાર લિંક નહી કરે તો તેના ખાતામાં PFના પૈસા જમા નહી થાય. જો તમે પણ તમારા PF ખાતા સાથે આધાર લિંક નથી કર્યુ તો હાલ જ કરી દો નહીતર કંપની તરફથી આવતુ યોગદાન અટકી જશે.
શું કહ્યું સંગઠને
EPFOએ નવી ગાઇડલાઇન્સ આપતા કહ્યું કે, સામાજીક સુરક્ષા સંહિતા 2020ની ધારા 142 લાગૂ થવાની સાથે ECRને માત્ર તે સદસ્યોને જ અનુમતિ આપવામાં આવશે જેના અકાઉન્ટ સાથે આધાર લિંક છે. 1.6.2021થી UAN નંબર સાથે આધાર લિંક નહી હોય તો તમારા ખાતામાં રકમ જમા નહી થાય.
કેવી રીતે કરશો આધાર લિંક
સૌથી પહેલા EPFOની અધિકારીક વૅબસાઇટ પર જાઓ
તેના માટે આ લિંક પર ક્લિક કરો https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/
તે બાદ તમારો UAN નંબર અને પાસવર્ડ નાંખીને લોગઇન કરો
પછી મેનેજ સેક્શનમાં KYC વિકલ્પ પર ક્લિક કરો
તમારી સામે EPF અકાઉન્ટ સાથે આધારને લિંક કરવા માટે દસ્તાવેજ દેખાશે
આધાર સિલેક્ટ કરીને ડિટેઇલ્સ ભરો
જે બાદ તમારી KYC વેરિફાઇડ થઇ જશે અને ખાતુ આધાર સાથે લિંક થઇ જશે